SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ પ્રવચન ક્રમાંક - ૧૧ ગાથા ક્રમાંક - ૧૦ સદ્ગુરુના લક્ષણો આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) ટીકા આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે. તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવા કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. (૧૦) આ ગાથાને સ્વસ્થ બનીને, શાંત બનીને વિચારજો. આપણા મનમાં જે પક્ષ છે, માન્યતાઓ છે, સ્વીકૃતિઓ છે તે ખંડિત જ્ઞાન છે. એના વિષે આપણને રાગ છે. પુત્ર પ્રત્યે, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યેનો રાગ કદાચ વૈરાગ્ય પ્રાપ્ત થાય તો છૂટી જાય પણ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ જે રાગ છૂટતો નથી તે પોતાના મતનો રાગ છે, પોતાની માન્યતાઓનો રાગ છે. પોતે જે માન્યું છે તે સાચું છે, તે ઠસાવવાની કોશિશ હંમેશા માણસ કરતો હોય છે. ધર્મના નામે, અધ્યાત્મના નામે આટલા બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયો ધરતી ઉપર હોઈ શકે નહિ પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયો દેખાય છે તે જ્ઞાનના કારણે નહિ પણ પોતાના મતના રાગના કારણે છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર આ બધી જ ક્રિયાઓ કરવા છતાં આપણો પોતાનાં પક્ષ પ્રત્યેનો, મત પ્રત્યેનો અને માન્યતાઓ પ્રત્યેનો રાગ છૂટી શક્યો નથી. સાત ખોટના બાળકને છોડી દેવા તૈયાર થઈશું પણ આપણે ગ્રહણ કરેલા મત અને માન્યતા છોડવા તૈયાર નથી. તેના કારણે કેટલું બધું ખોવું પડે છે! આંતરિક ઘટના ઘટવામાં આટલી વાર લાગે નહીં પણ તે માટે અનંતકાળ કાઢ્યો. “અનંતકાળથી આથડ્યો વિના ભાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy