SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૫ ભગવાન!’ આથડ્યો કેમ ? જગતમાં સાધનો તો હતા ‘સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યું નહિ અભિમાન.’ શબ્દો સ્પષ્ટ છે. પોતાનું અભિમાન મૂક્યું નથી. ધનનું અભિમાન છૂટવું સહેલું છે. ચક્રવર્તીને ચક્રવર્તીપણાનું અભિમાન છોડવું સહેલું છે પણ પોતે જે માને છે તે સત્ય છે એવું જે અભિમાન એ છૂટવું ઘણું મુશ્કેલ છે. માર્ગમાં જો કોઈ અવરોધ હોય તો આ અવરોધ છે. આ દશમી ગાથાથી થોડી ગાથાઓ સુધી ઘણી ગંભીર વાત કૃપાળુ દેવને કરવી છે. આ વાત મહત્ત્વની છે, તે પ્રશ્નરૂપ નથી પણ તેને પ્રશ્ન આપણે બનાવીએ છીએ. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્ન ઊભો ન થાય. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્નો ઊભા કરવાની કુશળતા આપણી પાસે છે. આપણે બહુ હોશિયાર છીએ. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્નો ઊભા કરવાનું કામ આ છદ્મસ્થ જીવોનું છે. જ્યારે આ ચર્ચા ચાલશે ત્યારે તમારા મનમાં પ્રશ્નો ઊઠશે, ઊઠવા દેજો અને એ પ્રશ્નો સ્પષ્ટ પણ થશે. પહેલી વાત સદ્ગુરુવાદ પણ ન ચાલે અને સદ્ગુરુ વગર પણ ન ચાલે. એક શબ્દ છે પ્રચલિત; તે ગુરુગમ. વારંવાર કહેવામાં આવે છે કે સદ્ગુરુ વગર નહિ ચાલે, નહિ ચાલે. એવું હશે ખરું કે જ્ઞાની પુરુષોને તમને પરતંત્ર બનાવવા છે ? એવું હશે ખરું કે અમારા વગર કામ નહિ થાય ? અમારો હાથ પકડો, પછી બરાબર અમારી સેવા કરો, એવું કહેવાનો એમનો ભાવ હશે ? હશે શું ત્યારે ? સદ્ગુરુ શબ્દ બરાબર છે, પણ સદ્ગુરુવાદ શબ્દ બરાબર નથી. સદ્ગુરુવાદમાં આગ્રહ છે અને સાથે સદ્ગુરુ વગર ચાલશે એમ જે માનવું તે પણ એક વાદ છે. સદ્ગુરુ વગર નહિ યાલે ને સદ્ગુરુ વગર પણ ચાલશે તે બન્ને પણ એક વાદ છે. જગતમાં બે મત પ્રવર્તે છે. એક મત એમ કહે છે કે આપણાથી જ પ્રાપ્ત થશે, કોઈની જરૂર નથી. શાસ્ત્રની જરૂર નથી, સદ્ગુરુની જરૂર નથી, સિદ્ધાંતની જરૂર નથી, અભ્યાસની જરૂર નથી, વૈરાગ્યની જરૂર નથી, ત્યાગની જરૂર નથી, આજે પણ એવું કહેનારા છે. તેઓ એક જ દૃષ્ટિકોણથી વાત કરે છે, અને બીજો વર્ગ એમ કહે છે કે સદ્ગુરુ વગર નહિ ચાલે. પરમકૃપાળુ દેવ વચ્ચે ઊભા છે. તેઓ વાદ તરફ પણ નથી અને નકાર તરફ પણ નથી. બે શબ્દો યાદ રાખજો. સદ્ગુરુવાદ અને સદ્ગુરુ વગર ચાલશે તેવો પણ વાદ, બન્નેથી તેઓ અલગ ઊભા છે માટે એ બન્ને પક્ષોને યથાર્થપણે કહે છે. પહેલાં થોડા શબ્દો સમજી લઈએ, વિગતવાર પછી સમજીશું. વારંવાર આટલા શબ્દો આવશે. એક શબ્દ આવશે તે શિષ્યત્વ અને બીજો શબ્દ આત્મબોધ, ત્રીજો શબ્દ ઉપદેશ, ચોથો શબ્દ ઉપદેશક અને પાંચમો શબ્દ માર્ગ, છઠ્ઠો શબ્દ માર્ગ પ્રવર્તક. આટલા શબ્દોની આજુબાજુમાં આ ગાથાઓ છે. વિનંતિ કરીને કહું છું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy