SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૨ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સમદર્શિતા આદિ જે લક્ષણ દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત, વીતરાગદશા સાધક, ઉપદેશક ગુણસ્થાનકે (છઠ્ઠા ગુણસ્થાનકે) વર્તતા અને સરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યા છે, કારણ કે તેમનામાં આવા ઘણાં પ્રકારના અંદરના અંશો ખીલેલા છે. જરા સમજી લેજો. છઠ્ઠા ગુણસ્થાનકની વાત અને તેરમા સ્થાનકની વાત, અને એટલા જ માટે સર્વાશે સંપૂર્ણપણે તેરમા ગુણસ્થાનકે જે વર્તે છે, એવા વીતરાગ અને કૈવલ્ય સંપન્ન એવા જીવનમુક્ત સયોગી કેવળી એવા જે અરિહંત પરમાત્મા એમના વિશે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. આ પાંચે પાંચ લક્ષણો પૂરેપૂરા પરાકાષ્ટાએ ઘટી શકે છે, અને આ જિન, આ અરિહંત, આ તીર્થકર અને પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા જો કોઈ હોય તો વિદ્યમાન એવા સર્વવિરતિધર સદ્ગુરુ છે. એટલે સદ્ગના લક્ષણો મુખ્યત્વે તેરમા ગુણઠાણે છે, પણ ગૌણ અંશમાં છઠ્ઠા ગુણસ્થાનકે પણ છે. આવા લક્ષણો જેનામાં પ્રાપ્ત થયા હોય તે જ માર્ગની પ્રરૂપણા કરી શકે છે, અને એ માર્ગનો ઉપદેશ આપી શકે છે. આટલી વાત જો સ્પષ્ટ થાય તો માર્ગ વિશે આટલા વિવાદો જે થયા, માર્ગમાં આટલા પક્ષપાત જે થયા તે ન થાત. અને માટે એમ કહ્યું કે સમદર્શિતાનો પ્રારંભ છઠ્ઠા ગુણસ્થાને થાય, અને પરાકાષ્ટા તેરમાં ગુણસ્થાને થાય. સંપૂર્ણ વીતરાગ સ્વતંત્રપણે માર્ગની પ્રરૂપણા કરે છે, એટલા માટે આ પત્રના બાકીના અંશો જોતા પહેલા આ પાંચે પાંચ લક્ષણો-સંપૂર્ણપણે તેરમા ગુણસ્થાને વર્તતા સયોગી કેવળી જીવનમુક્ત તીર્થંકર પરમાત્મામાં હોય અને તેના ઘણાં અંશો છઠ્ઠા ગુણસ્થાને સર્વવિરતિધર એવા મુનિમાં, સંયમીમાં હોય, તેથી છકે ગુણસ્થાનકે અને તેરમાં ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘટે. શાસ્ત્રોએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે આટલા બધા ભિન્ન ભિન્ન માર્ગો જેથયા તેનું કારણ એ છે કે તેઓ માર્ગને જાણતા નથી અને માર્ગની વાત કરે છે, આત્માને જાણતા નથી અને આત્માની વાત કરે છે, તત્ત્વને જાણતા નથી અને તત્ત્વની વાત કરે છે, વીતરાગતાને જાણતા નથી અને વીતરાગતાની વાત કરે છે ને દાવો પણ કરે છે. એ દાવો કરનારા હાથમાં ઝંડા લઈને ફરનારા કહે છે કે “તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.' આમ માર્ગ સ્પષ્ટ ન થાય, એટલા માટે પરમકૃપાળુ દેવે કહ્યું છે કે દસમી ગાથા એ મહત્ત્વની ગાથા છે. વિશેષ વિચારણા હવે આપણે પાછા મળીશું ત્યારે કરીશું. આમાં બહુ સ્પષ્ટ વાત છે. સ્પષ્ટ સિદ્ધાંત અને પ્રરૂપણા છે, અને જીવનમાં સમગ્રપણે જે અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ તે અવસ્થા પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠતમ ઉપાયો આમાં છે. એક એક ગાથામાં એક એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy