SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૧ અવસ્થા અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા મથે છે. ભગવાન મહાવીરે શ્રમણ શબ્દ આપ્યો. શ્રમણ એટલે શ્રમ કરનારો, મહેનત કરનારો. શું કોદાળી-પાવડા લઈને ખોદતા હશે? એવી મહેનત કરતા હશે? ના. વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા માટે એમનો પુરુષાર્થ છે. તે દશા સંપૂર્ણપણે પામ્યા નથી. તો પણ તે દશા પામવાનો માર્ગ અને તેનું સાધન, એ પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકર દેવો પાસેથી અને એમના વચનના આશ્રયથી જેમણે જાણ્યા છે, પ્રતીત્યા છે, અનુભવ્યા છે. અને એ માર્ગની ઉપાસના જેઓ કરે છે, અને વિશેષ વિશેષપણે ઉપાસના કરતા જાય છે. તેરમા ગુણસ્થાનકે જે રહ્યા છે તે જિન અને તીર્થંકર આદિ પરમ સદ્ગુરુની અને તેમના સ્વરૂપની ઓળખાણ કોણ કરાવશે? છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા છે, તે ઓળખાણ કરાવશે. એમના નિમિત્તે એમની ઓળખાણ થાય છે. માટે માર્ગનું ઉપદેશકપણું એમના માટે અવિરોધપણે છે. છઠ્ઠા ગુણસ્થાનકે જેઓ છે, એ પણ માર્ગનો ઉપદેશ આપી શકે છે. કારણ ? તીર્થકરદેવના ઉપદેશના આશ્રયથી એમણે પ્રતીતિ કરી છે, અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે. વીતરાગતાના અને કૈવલ્યના ઉપાસક છે. એથી નીચેના પાંચમા અને ચોથા ગુણસ્થાનકનું માર્ગના ઉપદેશકપણું ઘણું કરીને ઘટતું નથી. કારણ કે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે. અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું તે માર્ગના માટે વિરોધરૂપ છે. આ વચનો કોના છે? આ પ્રતિપાદન કોનું છે? આ કોણે કહ્યું? પરમકૃપાળુ દેવે કહ્યું છે. ચોથાથી નીચેના ગુણસ્થાને તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહિ. કેમ? એટલા માટે કે ત્યાં માર્ગની ખબર નથી, ત્યાં આત્માની ખબર નથી, તત્ત્વની ખબર નથી, ત્યાં જ્ઞાનીની ઓળખાણ નથી, પ્રતીતિ નથી અને સમ્ય વિરતિ પણ નથી. આત્માની પ્રતીતિ નથી અને ઓળખાણ, પ્રતીતિ અને સભ્ય વિરતિ ન હોવા છતાં પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું તે પ્રગટ મિથ્યાત્વ છે. કગુરુપણું, માર્ગનું વિરોધપણું છે. ત્રણ લક્ષણો આપ્યા. મિથ્યાત્વ છે, કુગુરુપણું છે અને માર્ગનું વિરોધપણું છે. જાણતો જ નથી અને વાત કરે છે. જોયું નથી અને વાત કરે છે. પ્રતીતિ નથી, વીતરાગતાની ખબર નથી, કૈવલ્યની ખબર નથી, સર્વજ્ઞની ખબર નથી, એમના માર્ગની ખબર નથી, દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી, અને વાત કરે છે. ચોથા પાંચમા ગુણસ્થાનકે એ ઓળખાણ છે, પ્રતીતિ છે, અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે. અને પાંચમે દેશવિરતિપણાને લઈને ચોથાથી વિશેષ છે, છતાં છઠ્ઠા ગુણસ્થાને સર્વ વિરતિ જેટલી વિશુદ્ધિ ત્યાં નથી. પ્રતિપાદન જે આવશે તે જ્ઞાનમાંથી નહિ પણ આંતરિક શુદ્ધિમાંથી આવશે. એટલા માટે પરમકૃપાળુ દેવ એમ કહે છે કે આત્મજ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy