SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સમજવો પડશે. પહેલી વાત સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે છે? જરા વાત તો કઠિન છે, ગહન પણ છે, ગહેરી છે. શુષ્ક અને રસ વગરની પણ છે, પણ તમારે રસ લેવો પડશે. તમારે જાણવું પડશે, તમારે સમજવું પડશે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રત આ જે લક્ષણો છે તે મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને બીજો પ્રશ્ન સમદર્શિતા એટલે શું? આ બે પ્રશ્નોને લક્ષમાં રાખીને લખ્યું છે. પ્રશ્નકાર પણ પોતે અને ઉત્તર આપનાર પણ પોતે છે. પ્રશ્ન કોક કરે અને ઉત્તર કોક આપે તેમ નહીં. તો સદ્ગુરુ યોગ્ય લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે ઉપદેશક અર્થાત્ માર્ગ પ્રકાશક એવા સદૂગુરુના લક્ષણો હોઈ શકે, એની વાત કરી. | ઉપદેશક તરીકેના ગુણસ્થાનક બે જ છે. આ બે ગુણ સ્થાનક ઉપર રહેલા ઉપદેશ આપી શકે. બીજા ઉપદેશ પ્રાયઃ ન આપે. ઉપદેશક ગુણ સ્થાનક છડ્યું અને તેરમું છે. છઠું ગુણસ્થાનક એ પ્રમત્ત સંયત (સર્વ વિરતિ) ગુણ સ્થાનક અને તેરમું ગુણસ્થાનક એ સંયોગી કેવલી ગુણસ્થાનક. બારમા પછી તેરમું ગુણસ્થાનક આવે છે. સંપૂર્ણપણે મોહમાંથી મુક્ત બન્યા છે. ૧૪ ગુણસ્થાનકો છે. ગુણનું સ્થાન તે ગુણસ્થાનક, ચૈતન્યનો વિકાસ. તો ઉપદેશ આપવાનું સ્થાન છઠ્ઠ ગુણસ્થાન અથવા તેરમું ગુણસ્થાન. વચમાં આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીનો કાળ બહુ અલ્પ છે, બધો મળીને અંતર્મુહૂર્તનો કાળ. ત્યાં વાણી નથી ત્યાં ઉપદેશ નથી. ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ નથી. માર્ગનો ઉપદેશ આપવાની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણ સ્થાનકે હોય છે, તે પહેલા નહીં. છઠ્ઠા ગુણ સ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તેરમે ગુણસ્થાને છે. ખરેખર તો અધિકૃત રીતે યથાવત્ યથાર્થપણે માર્ગનું ઉપદેશકપણું તેરમે ગુણસ્થાને હોય, એમનો અધિકાર છે. કારણ સંપૂર્ણ વીતરાગપણું છે અને કેવલ્યની પ્રાપ્તિ પણ છે. કેવળજ્ઞાન અને વીતરાગતા એ બન્ને જેના જીવનમાં હોય એ જ ઉપદેશ આપી શકે. પરમ સદગુરુ શ્રી જિનેશ્વર તીર્થકર આદિ વિશે એવી અવસ્થા ઘટે છે તો બાકી બીજાને ઉપદેશ આપવાના રસ્તા બંધ? કોઈ ઉપદેશ આપી ન શકે ? પરમકૃપાળુ દેવ કહે છે કે ‘તથાપિ છ ગુણસ્થાને વર્તતા મુનિ સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે.” જુઓ તેરમા ગુણસ્થાને પરિપૂર્ણ અવસ્થા છે અને છઠ્ઠા ગુણસ્થાને સાધુની ઉપાસકની અવસ્થા છે, તેઓ વીતરાગતાના ઉપાસક છે. કૈવલ્યદશાના ઉપાસક છે, અને એ દશા અર્થે જેમના પ્રવર્તન અને પુરુષાર્થ છે, રાત દિવસ તેઓ એ માટે જ શ્રમ કરે છે, મથામણ કરે છે, મથે છે, અન્ય કોઈ કારણે મથતા નથી, તેઓ તો માત્ર વીતરાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy