SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૯ ચાલતો નથી. એન્જિન જોડાય અને ડબ્બામાં ગતિ આવે. જ્ઞાની પુરુષો પણ એવા છે, શરીર છે, તેમાં જે કંઈપણ કાર્ય થાય તે પૂર્વના પ્રારબ્ધના ધક્કાથી થાય. કર્તાભાવ નથી, કરવાની વૃત્તિ કે ઈચ્છા નથી, માનપાનની અપેક્ષા નથી. કંઈ મેળવવું નથી, કંઈ પ્રાપ્ત કરવું નથી, હરીફાઈમાં ઊતરવું નથી, કોઈની સાથે તુલના કરવી નથી, કોઈના જેવા થવું નથી, કંઈ જ કરવું નથી, સ્વરૂપમાં ઠરવું છે, પણ જે કંઈ થાય છે, તે પૂર્વના ધક્કાથી થાય છે. એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં કર્તાભાવ નથી. અખાએ કહ્યું, કર્તા મિટે તો મિટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ. કર્તા મટી જાય તો કર્મ મટી જાય. આ ભજનનો મર્મ છે. તમે કશું જ કરતા નથી, પણ માનો છો કે હું કરુ છું. જ્ઞાની તો ‘વિચરે ઉદય પ્રયોગ', ઉદય શબ્દ છે. પૂર્વના પ્રારબ્ધના વેગથી જ્ઞાનીનું કાર્ય થાય છે. આ ત્રણ લક્ષણો અને એક ચોથું લક્ષણ “અપૂર્વ વાણી” – એમની વાણી અપૂર્વ છે. અપૂર્વ એટલે અલંકારિક, અસરકારક, ઓરેટરી, દિલ જીતી લે તેવી? ના. લોકો તો કહે છે કે મહારાજ બહુ સારી વાર્તા કહે છે, ગાય છે બહુ સારું. અરે ! ગાવું અને વાર્તા કહેવી તે અપૂર્વ વાત નથી. પણ જેમની વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દ સાંભળતાં પરમતત્ત્વ યાદ આવી જાય, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય, આને અપૂર્વ વાણી કહે છે તથા પરમશ્રત એટલે જ્ઞાનની તમામ શાખાઓ જાણે છે. આવા તમામ લક્ષણો જેનામાં છે, એમને અમે સદ્ગુરુ કહીએ છીએ. આ બહુ સંક્ષેપમાં વાત કરી, પણ આ વાતની પાછળ ઘણી મહત્ત્વની વાત હવે શરૂ થાય છે. આત્મસિદ્ધિનો પ્રારંભ વર્ષ-૨૯ માં આસો વદ-એકમ ગુરૂવાર-૧૯પર માં થયો ત્યારબાદ આત્મજ્ઞાન સમદર્શિતા-એ દસમી ગાથા ઉપર વર્ષ-૩૧ સંવત-૧૯૫૪ માં ખાસ કરીને સમદર્શિતા ઉપર પરમકૃપાળુ દેવે વિશેષ વિવેચન લખ્યું છે. પત્રાંક-૮૩૭, પાના નં. ૨૨ આ વચનામૃત એટલા માટે વચમાં જોયું છે કે, ૧૯ ગાથાઓમાં જે કંઈપણ પરમકૃપાળુ દેવે કહ્યું તે અત્યંત સંક્ષિપ્તમાં કહ્યું, ૮૩૭માં નિચોડ મૂકી દીધો છે. જે કંઈપણ તેઓએ કહ્યું તેને ખોલતાં આવડવું જોઈએ, અને ખાસ કરીને આત્મસિદ્ધિના પ્રાગટ્ય પછી બે વર્ષ બાદ ૧૯૫૪ માં જેઠ વદ-ચોથ પછી આના ઉપર વિવેચન લખ્યું. આ પરમ રહસ્યમય છે. દોઢથી બે વર્ષના ગાળામાં ઘણું ઘોલન થયું અને પત્રાંક-૮૩૭ માં માર્ગ વિશે, માર્ગની પ્રરૂપણા વિશે, સદ્ગુરુ વિશે, ઉપદેશ વિશે, ઉપદેશક વિશે, ઘણું ઘોલન કરીને નિષ્કર્ષ આપ્યો. આ એટલા માટે વચનામૃત મારે યાદ કરવું છે કે સમગ્ર સાધક જીવનમાં જે કંઈપણ પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉકેલ આમાં આપ્યો છે. પરમકૃપાળુ દેવના હાર્દને, એમના રહસ્યને, એમની અસ્મિતાને યથાર્થપણે જાણવું હોય તો ૮૩૭પત્ર બરાબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy