SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧. “આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે. આત્મજ્ઞાન શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા ભોક્તા છે, આત્મા અવિનાશી છે, આત્મા મુક્ત છે, આત્મા અજર છે, આત્મા મરતો નથી, જન્મતો નથી. આ કડીબદ્ધ બોલી જવું એ આત્મજ્ઞાન નથી, પણ શબ્દો છે. આત્મજ્ઞાની એટલે આત્માનુભવ જેને થયો છે તે. શાસ્ત્રોથી, શબ્દોથી જાણ્યો તો ખરો પણ જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે, જેને અંદરમાં અનુભૂતિ થઈ છે તે. આનંદધનજીએ કહ્યું. અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરણ લાગી. જેમ છોડ ઉપર કળી ખીલે છે, તે સંદેશ આપે છે કે ફુલને આવવાની તૈયારી છે. ફૂલ સમાચાર આપે છે કે હવે ફળ આવવાની તૈયારી છે. આત્મ અનુભવ થાય છે, તે કહે છે કે હવે તમારી વૃત્તિને બહારમાંથી અંદર લાવી શકશો, અને અંદરમાં ઠરશો. તમે અંદરમાં ઠરશો ત્યારે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થશે, અને જેવા સમાચાર મળે છે કે સમ્યકૂચારિત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે ખબર પડશે કે મોક્ષનું ફળ બેસશે. આવી ક્રમિક સાધના જેમના જીવનમાં થાય, આવી ક્રમિક ઘટના જેમના જીવનમાં ઘટે તેને આત્મઅનુભવ થયો છે. આત્માને શાસ્ત્રોથી જાણવો એક વાત, આત્માને વર્ણવવો બીજી વાત, આત્મા વિશે વાત કરવી એ ત્રીજી વાત. ઉપનિષદમાં કહ્યું છે કે, “ઋત્િવતિ ગાત્માન' કોઈક જે આત્માની વાત આશ્ચર્ય મુગ્ધ બનીને કરે છે, કોઈક આત્માની વાત આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળે છે, કોઈક જ આત્માની વાત આશ્ચર્ય મુગ્ધ બનીને બીજાને કહે છે, પણ આ બધામાંથી આત્માનો અનુભવ કરનારા કોઈક જ હશે. જેવો આત્માનુભવ થાય કે અંદર ઘટના ઘટે છે, અંદર પરિવર્તન થાય છે, અંદર બદલાઈ જાય છે. છોકરીને ખબર પડે કે મારું સગપણ થયું કે તરત જ તેને ખબર પડી જાય છે કે હવે આ ઘર મારું નથી. અમે મજાકમાં કહીએ છીએ કે સગપણ થયું ન હોય અને પાડોશમાં છોકરો રહેતો હોય અને કેટલો વખત રસ્તા ઉપરથી આવન જાવન કરતો હોય તોપણ કંઈ ન થાય પણ એક વખત તેની સાથે સગપણ જો થાય અને પછી ખબર પડે કે એનું માથું દુઃખે છે તો અહીં દુઃખાવો ચાલુ થઈ જાય, સગપણ થયું ને? સંબંધ થયો ને? સંબંધ થયો એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ, આત્મામાં એક વખત અનુભવ થાય તો અંદરની અવસ્થા બદલઈ જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy