SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ ટીકાઃ આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૦) સદ્દગુરુ કેવા હોય? તેમનું સ્વરૂપ કેવું હોય? તેમના લક્ષણો કેવા હોય? તે સમજવા તમને એક સૂત્ર આપીએ છીએ. તે સૂત્ર તમે લક્ષમાં લેજો. તેનાથી તુરત જ તમને ખ્યાલમાં આવી જાય, સમજણ આવી જાય. હૈયામાં ઓળખાણ થઈ જાય તો ઘટના ઘટી જાય અને સદ્ગુરુ ઓળખાઈ જાય તો પ્રેમ થઈ જાય, પક્ષ મુકાઈ જાય, તેમની સાથે ટ્યુનીંગ થઈ જાય તો મોક્ષનો રસ્તો નેશનલ હાઈવે જેવો સરળ અને સીધો થઈ જાય. ગલીકૂચીઓમાં અટવાવવું પડે નહીં. બીજો ઉપાય કરવો પડે નહીં. આ સદ્ગના લક્ષણો છે. તેમાં એક લક્ષણ એવું નથી કે બહારથી ઓળખાય, આ ખૂબી છે. નરસિંહ મહેતાનું પદ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતા એવા ડાહ્યા કે “વૈષ્ણવ જન તો તેને કહીએ'', ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લે “કૂળ એકોતેર તાર્યા ત્યાં સુધીમાં એક લક્ષણ એવું નથી મૂક્યું કે ઝટ પકડાય. એમણે એમ કહ્યું હોત તો સારું કે રામનામની ચાદર ઓઢી હોય એ વૈષ્ણવ, રૂદ્રાક્ષની માળા પહેરે એ વૈષ્ણવ, કપાળે મોટો ચાંદલો કરે એ વૈષ્ણવ, પણ આવું એકેય લક્ષણ આમાં નથી. આમાં લક્ષણ તો એ છે કે, જે પીડ પરાઈ જાણે રે; પર દુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માત રે'' એકે લક્ષણ આમાં એવું નથી કે જે બહારથી ઓળખાય. સદ્ગુરુનું એક લક્ષણ એવું નથી કે આપણે બહારથી ઓળખી શકીએ. પાંચ ફૂટની ઊંચાઈ હોય તો તે સદ્ગુરુ, આટલી લાંબી દાઢી હોય તે સદ્ગુરુ, આટલા મોટા વાળ હોય કે માથે ટાલ હોય તે સદ્ગુરુ, માળા ફેરવતા હોય તે સદૂગુરુ. સદ્ગુરુ દૂધ જ પીવે છે, બીજું કાંઈ ખાતા નથી, આવું કહ્યું હોત તો કેટલું સરળ થાત? સદ્ગુરુનું એક લક્ષણ આમાં નથી, પણ જે પાંચ લક્ષણો છે, તે અત્યંત મહત્ત્વના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy