SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અનુભવનો રસ જેણે ચાખ્યો તેના મનના રોગ મટી ગયા. તેનો શોક મટી ગયો. ઘણાં લોકોનું શરીર ઘણું તંદુરસ્ત હોય છે. એંશી વર્ષની ઉંમરે પણ ઘણા તંદુરસ્ત માણસો હોય છે અને એમ કહેતા હોય છે કે હજુ બે લાડુ ખાઈ શકું છું, પણ તેને પૂછીએ કે મનની શું હાલત છે? તે કહે કે એ પૂછશો નહીં. મનમાં ઘણાં ગોટાળા છે. જેવો આત્માનુભવ થાય કે તરત મનના બધાં રોગ ખરી પડે. મન નિરોગી થઈ જાય. શરીર નિરોગી હોવું એક વાત છે. પણ મન નિરોગી હોવું બહુ અદ્ભુત વાત છે. મનના અનેક રોગો છે. ક્રોધ એ રોગ, અહંકાર એ રોગ, માયા એ રોગ, માન એ રોગ, મત એ રોગ, હઠાગ્રહ એ રોગ, કામવાસના એ રોગ, ઈર્ષ્યા એ રોગ, દ્વેષ એ રોગ, હિંસા, અસત્ય એ રોગ, તિરસ્કાર એ રોગ. જેવો આત્મનુભવ થાય કે મનના આ બધા રોગો મટી જાય. મનમાં એકપણ રોગ ન રહે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું કે ““જેને આત્માનુભવ થયો છે, તેનું એક લક્ષણ છે, એને જગતમાં કોઈ જીવો પ્રત્યે તિરસ્કાર ન હોય, એને ધૃણા ન હોય, એની આંખમાંથી, એની વાણીમાંથી અને હૈયામાંથી પ્રેમ ટપકતો હોય. એના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ ટપકતો હોય. એના જીવનમાં પ્રેમનો સાગર લહેરાતો હોય. તેને ભેદ નથી. પક્ષપાત નથી. મારા તારાપણું નથી. આ મારો છે, અને આ પારકો છે. એવી ગણતરી હવે એને મટી ગઈ છે. એને તો “મિત્તી ને સેલ્વમૂસું', જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે અંદર મૈત્રીભાવ હોય. આત્મ અનુભવ થાય અને પરિવર્તન ન થાય? આત્માનુભવ થાય અને અંદરથી બદલાઈ ન જાય? આત્માનુભવ થાય અને અંદર ક્રાંતિ ન થાય? આવું ન બને. ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે રસ આગે, આવત નહિ કોઉ માનમેં. (ઉપા. યશોવિજયજી મ.) આત્માનો અનુભવ થાય કે તેના હૃદયમાં એક મસ્તી આવી જાય. એક ખુમારી આવી જાય. દીનતા, લાચારી ચાલી જાય. એના જીવનમાં ક્યારેય પણ દ્વન્દ્ર અને મૂંઝવણ ન હોય. પહેલું લક્ષણ આત્માનુભૂતિ. આ પાયાનું મહત્ત્વનું લક્ષણ છે. આના ઉપર સદ્ગુરુની ઈમારત છે. સદ્દગુરુના જીવનમાં કોઈપણ સૌથી મોટી ઘટના હોય તો જે આત્માની વાત શાસ્ત્રો કહે છે, જે આત્માની વાત પ્રવચનમાં થાય છે, જે આત્માનું વર્ણન વેદો અને આગમો કરે છે, જે આત્માનું વર્ણન જ્ઞાની પુરુષો કરે છે, એવા આત્માનો એમને પ્રગટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy