SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૩ જુદો, મારો મત જુદો. એ કહે પીક્સર જોવા જવું છે. હું કહું છું મંદિર જવું છે. મેળ પડતો નથી. એ કહે ઈડલી ખાવી છે, હું કહું છું ઢોસા ખાવા છે.' આ ઈડલી અને ઢોંસામાં તમે જીવનને તોડશો? તમારા પ્રેમની ધારાને તોડશો? જીવનમાં સંગીત હોય તો જ સદ્દગુરુ સાથે મેળ પડશે. - સદ્ગુરુ પોતે નિરપેક્ષ છે. તેમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. “આ અમીર છે, આ ગરીબ છે, આ ઉપયોગી છે, આ ભવિષ્યમાં કામ લાગશે.' સદ્ગુરુને આવા વિકલ્પ હોતા નથી. આવા પુરુષ જગતમાં ઓછા મળે છે. સદ્ગુરુ નિરાશ છે. નિરાશ એટલે આશા રહતિ. એમને કોઈ આશા કે ઈચ્છા નથી. સદૂગુરુ પાસે માત્ર પ્રેમનો સાગર છે. શિષ્યને પક્ષની પાળ તોડવી પડશે. આ ધોરિયો ઘણો મજબૂત છે. તે તૂટતો નથી. જો પક્ષની પાળ તે તોડે તો સદ્ગુરુ સાથે પોતે એકાગ્ર થાય, તન્મય થાય, તો જીવનમાં ટ્યુનીંગ આવે. | મુખ્યત્વે પરમકૃપાળુ દેવને બે પક્ષની વાત કરવી છે. (૧) ક્રિયાજડ અને (૨) શુષ્કજ્ઞાની. આ બે મોટા પક્ષો છે. નાના પક્ષો ઘણાં છે. લઘુરાજ સ્વામીએ કહ્યું કે પરમકૃપાળુ દેવે અમારા ઉપર એવી કૃપા કરી કે અમને ક્યાંય ઊભા ન રાખ્યા. ન રાખ્યા દેરાવાસીમાં કે ન રાખ્યા સ્થાનકવાસીમાં. સીધા અમને લઈને આત્મામાં મૂકી દીધા. તમે કહેશો કે “અમારે આત્મામાં નથી જવું, કોઈક પક્ષમાં જવું છે', તેથી આત્મામાં જવાની જે એક અવસ્થા છે તે પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈપણ પક્ષ સાધકને અટકાવશે. સદ્દગુરુ મળ્યા હશે તો પણ તેની સાથે ટ્યુનીંગ નહીં થાય. આ ટ્યુનીંગ શબ્દ સમજી લો. મજા તો જીવનના ટ્યુનીંગમાં છે. સંગીતની બેઠક મળી હોય. પચાસ વાજીંત્રો વાગતા હોય. ગાયક ગાય પણ બધાનો તાલમેળ ન હોય તો? ગાનાર મલ્હાર ગાય, વગાડનાર દીપક વગાડે અને તબલા ઉપર ભીમ પલાસી ઠેકો આપે તો કેવો દેકારો થાય. મહેફિલ તો તો જ જામે જો સંગીતમાં તાલબદ્ધતા આવે, લયબદ્ધતા આવે. - સદ્ગુરુની સાથે તાલબદ્ધતા મેળવવી, લયબદ્ધતા મેળવવી, એ શિષ્યની સાધના છે. તમે સદ્ગુરુની પાસે જાવ, એમની પાસે બેસો, એમની સેવા કરો, એમને આહારનું ને વસ્તુનું દાન આપો. તેમની પાસે શ્રવણ કરો. તેમને પ્રશ્નો પૂછીને તેમણે કહેલ વાતનું ચિંતન કરો, સાથે રહો, રાત દિવસ સેવા કરો, પણ ટ્યુનીંગ છે ? અને જો ટ્યુનીંગ નહીં હોય તો કામ નહીં થાય. સદૂગુરુના પક્ષે કોઈ અવરોધ નથી. અવરોધ શિષ્યના પક્ષે છે. અને શિષ્ય પક્ષની પાળ તોડવી પડશે. જેવી પાળ તૂટશે કે તરત જ પ્રેમનો સાગર વહેતો થશે. બે હૈયાનો પ્રેમ જ્યારે ભેગો મળે છે, તેને કહેવાય છે સંધિ. “ઉભય મિલ્યા હુએ સંધિ” બે ભેગા મળે ત્યારે સંધિ થાય. સદૂગુરુનું હૃદય અને શિષ્યનું હૃદય બંને જ્યારે મળે ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy