SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ જે પોતાનું ખંડિત જ્ઞાન છે, એ જ અખંડ જ્ઞાન છે, એવી જે માન્યતા આવે છે, તેથી જ્ઞાનના દ્વાર બંધ થઈ જાય છે. પક્ષ એ ખંડિત જ્ઞાન છે. પક્ષ દુર્નય, એકાંત નય છે, અને એટલા માટે પક્ષનો રાગ જો હશે તો રાગ વચમાં આવશે, અને સદ્ગુરુ સાથે અંદરનું જોડાણ નહીં થાય, અને જ્યાં સુધી આવું જોડાણ, આવો પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી દઢતાપૂર્વક આજ્ઞાપાલનની સાધના પણ નહીં થાય. આ વિષે બહુ મહત્ત્વની ચર્ચા આગળ આવવાની છે. સદ્દગુરુ પાસે પોતાનું ધાર્યુ કરાવવું અને પોતાની વાત માન્ય કરાવવી અને એમ કહેવું કે અમારે સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું છે, અમે આજ્ઞા માન્ય કરીએ છીએ, એના જેવી બીજી કોઈ રમત જગતમાં હોઈ શકે નહીં. અથવા આજ્ઞાપાલનનો અર્થ સ્થૂળ કરે છે, વિપરીત કરે છે. બાબલાનું નામ શું પાડવું તે સદ્ગુરુને પૂછવાની જરૂર નથી. તમે પાડી શકો છો. તમે પાછા એમ કહો છો કે આ નામ જે પાડ્યું છે તે ગુરુદેવના કહેવાથી પાડ્યું છે, આ ઘેલછા છે. દુકાનનું મુહૂર્ત કાઢવું તે સદ્ગુરુનું કામ નથી. પાછા એમ કહે કે અમે દુકાન ચાલુ કરી છે, એ ગુરુદેવે આપેલા મુહૂર્ત પ્રમાણે ચાલુ કરી છે. સદ્ગુરુનું આ કામ નથી. વીતરાગતાની પ્રાપ્તિ માટે અને સંસારના ક્ષય માટે જે જે આજ્ઞા સદ્ગુરુ આપે તે આજ્ઞાનું અખંડપણે પાલન કરવું એને કહેવાય છે આજ્ઞાની આરાધના, આનંદધનજીએ કહ્યું છે કે, કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. કોઈ સ્ત્રી પોતાના પતિને રાજી રાખવા માટે, ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, વશ કરવા માટે, બહુ તપ કરે. પોતે કષ્ટો પણ સહન કરે, આગમાં ઝંપલાવે-આનંદધનજી કહે છે કે આ પતિરંજન મને મંજુર નથી. મને તો “રંજન ધાતુ વિલાપ', પતિની પ્રકૃતિ સાથે, પતિના સ્વભાવ સાથે, પોતાનો સ્વભાવ મેળવવો, એ જ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય જણાય છે. સદ્ગુરુને પણ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય એ છે કે એમની પ્રકૃતિની સાથે, એમની અવસ્થાની સાથે પોતાનો તાલ મેળવવો. સદ્ગુરુ નિષ્પક્ષ છે, પ્રેમનો સાગર છે. સદગુરુ નિસંગ. નિસ્પૃહ અને નિરપેક્ષ છે. સદ્ગુરુને કોઈ પક્ષ નથી. એમને કોઈ અપેક્ષા કે સ્પૃહા નથી. એમને કોઈ અભિલાષા નથી. એમને સંબંધો જાળવવા નથી, પણ શિષ્યને સદ્ગુરુ સાથે નાતો જોડવો છે, માટે આ પ્રયત્નો શિષ્ય તરફથી છે, સદ્ગુરુ તરફથી નહીં. વ્યવહારમાં ઘણી વખત એમ થાય છે કે પરણ્યાને પચાસ વર્ષ થયા. અને પછી કોઈ પૂછે કે કેમ છો? તો કહે કે “હજુ ટ્યુનીંગ થયું નથી પચાસ વર્ષે. એક છાપરા નીચે રહીએ છીએ પણ મત અમારા જુદા છે. એમનો મત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy