SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરતાં કરતાં તે નિર્વિચાર થઈ જાય છે અને જનકવિદેહી પાસે પહોંચ્યા. જનકવિદેહીએ સ્વાગત કર્યું, સત્કાર કર્યો. પોતાના આસને બેસાડી તેમને નમસ્કાર કર્યા. જનકવિદેહીએ કહ્યું કે “જે ત્યાગ ભલભલા કરી ન શકે તેવો મત અને માન્યતાનો મોટો ત્યાગ આપે કર્યો છે. પક્ષનો ત્યાગ આપે કર્યો છે.” - સત્યને જીવનમાં ઝીલવું અને સત્યને સ્વીકારવું એ જીવનમાં તાકાત માંગે છે. ખલીલ જીબ્રાને કહ્યું છે “સત્યને ઘરેણાં ન પહેરાવશો, વાઘા ન પહેરાવશો. સત્યને શબ્દમાં ન મઢશો. જો તેને મઢશો તો સત્ય સત્ય નહિ રહે.' વ્રત ઉપવાસ થઈ શકશે, સમેત શિખર, પાલીતાણા, ચારધામ યાત્રા કરવા જઈ શકશો, અડસઠ તીરથ ફરી શકશો. સહેલું છે આ કરવું, પણ પોતાનો પક્ષ છોડવો અત્યંત મુશ્કેલ છે. સદ્ગુરુ પાસે જાવ તો તૈયાર થઈને જાવ. તૈયાર થઈને એટલે? પોતાનો પક્ષ છોડીને, એ નિષેધાત્મક સિદ્ધાંત અને વિધેયાત્મક રીતે વિનયયુક્ત થઈને ગુરુ પાસે જવું. વિનય મોટી મૂડી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “વિનયમૂલો ધમ્મો.' વિનય એ ધર્મનું મૂળ છે અને મોક્ષની પ્રાપ્તિ પણ વિનયથી જ થાય છે. પ્રશમરતિ શાસ્ત્રમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે, વિનયનું ફળ શુશ્રુષા (ઉપદેશ સાંભળવાની ઇચ્છા) છે. શુશ્રુષાથી શ્રુતજ્ઞાન (આગમ બોધ) પ્રાપ્ત થાય છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિથી આશ્રવ નિરોધ (સંવર) થાય છે. સંવરથી તપ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. તપથી કર્મ નિર્જરા થાય છે. કર્મ નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિથી અયોગ અવસ્થા થાય છે. યોગ નિરોધથી સંસારનો અંત થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.” મીરાંએ ગાયું છે, “ભવસાગર અબ સૂક ગયો સંસાર સાગર સૂકાઈ ગયો. અને તમે એમ કહો છો કે ભવસાગર તરવો છે, તે મુશ્કેલ છે. અને મીરાં કહે છે કે ભવસાગર રહ્યો જ નથી. સૂકાઈ ગયો છે. “ફિકર રહી નહિ તરનનકી.” તરવાની ફિકર હવે રહી જ નથી. મીરાંને કોઈએ પૂછ્યું કે આટલી બધી મસ્તી તારામાં આવી ક્યાંથી? તેં કઈ દવા ખાધી? શું થયું તને? “મોહે લાગી લગન ગુરુચરણનકી.” મને તો ગુરુના ચરણોની લગન લાગી ગઈ છે. હવે કોને ચિંતા છે ભવસાગરની? અને કોને ચિંતા છે સંસારની? આ ભક્તિ! “મારગ જતાં ગુરુ મળ્યા”, “ગુરુએ અમને અમારી ઓળખાણ કરાવી. વિનયયુક્ત ભક્તિથી છલક્તા હૃદયે સદ્દગુરુના ચરણની ઉપાસના કરી.” ચરણની ઉપાસના એટલે આજ્ઞાની આરાધના, આજ્ઞાની આરાધના સિવાય વિરાધના જાય નહિ. પોતાનો પક્ષ ત્યાગી દઈને જે આજ્ઞાની આરાધના કરે છે તેને લાભ શું થાય છે? શું મળે છે? “પામે તે પરમાર્થને, તે પરમતત્ત્વને પામે છે. નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy