SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ નિમિત્ત, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, કર્મ, માર્ગણા, ગુણસ્થાનક, લેશ્યા, આ બધા મર્મોની પ્રાપ્તિ થાય છે. તેના કરતાં વિશેષ વાત ધ્યાન સમાધિ છે. સાધના કરતાં શ્રેણીની રચના કરે છે એનાથી વધારે કર્મોનો ક્ષય કરે છે. વૃત્તિઓને તે શાંત કરે છે, પોતાના સ્વભાવમાં ઠરે છે. પામે તે પરમાર્થને અને છેલ્લી વાત. “નિજપદનો લે લક્ષ.’ ત્યારે તેને પોતાનું લક્ષ આવે છે. ચારે કડીઓ મળીને એક ગાથા. ચાર અંશ જુદા જોયા. પહેલું સેવે સદ્ગુરુ ચરણને એક. કેવી રીતે ? ત્યાગી દઈ નિજ પક્ષ બે. શું થાય ? પામે તે ૫રમાર્થને ત્રીજી વાત અને છેવટે શું થાય ? ત્યારે જે પોતાનું પદ છે તે તેને પ્રાપ્ત થાય. તેને ખબર પડે કે હવે મને મારું ઘર મળ્યું, ત્યારે તે પોતાના ઘરમાં પગ મૂકે છે. એક ભક્ત દાસ રણછોડે ગાયું છે, દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું. દાસ રણછોડે ઘર સંભાળ્યું, નિજ પદની-આત્મપદની ખબર પડી. ‘‘જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું’’ આ મજબૂત મોહનું તાળું, માયાનું તાળું, આસક્તિનું તાળું, મમત્વનું તાળું લાગ્યું છે. દાસ રણછોડને સદ્ગુરુએ જ્ઞાનની કૂંચી આપી અને મોહનું તાળું, માયાનું તાળું વાસનાનું તાળું ખૂલી ગયું. પછી શું થયું ? ‘‘થયું ભોમંડળ અજવાળું’’, અંદ૨માં અજવાળું અજવાળું થઈ ગયું. જ્ઞાનનો પ્રકાશ રેલાઈ ગયો. અંધકાર મટી ગયો અને અજવાળું થયું. ‘દિલમાં દીવો કરો રે દીવો’, આવો દીવો સદ્ગુરુની પ્રાપ્તિથી થાય. ફરી ભલામણ કરું છું. ૯ થી ૧૯ ગાથાઓ ગૂંચવણ ભરી છે, તમને ઘણાં પ્રશ્નો ઊઠશે. એ પ્રશ્નો જ્યારે ઊઠે તે નોંધજો પણ કશો નિર્ણય ન કરતાં. લડશો નહિ મારી સાથે, પણ પ્રેમથી ઉકેલ કરીશું. બાંયો નહિ ચડાવવાની, પ્રેમથી પૂરું કરશું. એક હજાર વખત પૂછશો તો મને રીસ નહિ ચડે. બધા જ પ્રશ્નો પૂછજો. પણ જે કંઈ સમજો તે સાચું જ સમજજો. નહિ તો અખાએ કહ્યું છે કે ‘‘ગાલનું ઓસડ આંખે ઘસ્યું'' તેવું થાય. નવથી ઓગણીસ ગાથામાં માર્ગ છે, આખો નેશનલ હાઈવે છે. આ માર્ગે ચાલે તો કોઈની તાકાત નથી કે રસ્તે જતાં રોકી શકે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy