SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ શ્લોક બહુ મજાનો છે. એક તો વાંદરો, તેણે મદિરા પીધી અને દારૂ પીધા પછી તેને વીંછી કરડ્યો. ડીસ્કો ડાન્સ ચાલુ થશે, પછી તો શું બાકી રહે ? અને તેમાં ભૂતનો પ્રવેશ થયો, હવે વાંદરાભાઈ શું ન કરે તે મને કહો. સમજાય છે? યશોવિજયજી મહારાજે કહ્યું છે કે ‘‘એક તો વિષ ને વળી પાછું વધાર્યું.’'ડાલ્ડામાં નહિ, તેલમાં નહિ, પણ ચોખ્ખા ઘીમાં. શું બાકી રહે ? એક તો પોતાનો પક્ષ અને તેમાં આગ્રહ ભળે અને આગ્રહ સાથે પાછું માન ભળે. આ ત્રણે ભેગાં થયા હોય, આવો પક્ષ પોતાનો હોય. સદ્ગુરુ પાસે જ્યારે જાવ ત્યારે એ પક્ષને ત્યાગી દઈને જાવ. જનકવિદેહીને મળવા કોઈ સંન્યાસી આવ્યા. એક કમંડળ અને દંડ તેમની પાસે સાધન હતું, સિક્યોરીટી ઓફિસરને કહ્યું અમારે જનકવિદેહીને મળવું છે. ‘રજા વગર નહિ મળાય !’ તો કહે ‘“પૂછી આવો અને કહેજો કે કોઈ સંન્યાસી આવ્યા છે.’’ ચોકીદાર જનકવિદેહી પાસે ગયા અને કહ્યું ‘‘સંન્યાસી દરવાજે ઊભા છે, આપને મળવા ઈચ્છે છે’’ જનકવિદેહી કહે ‘એમને એમ કહેજો કે બધા શસ્ત્રો હેઠા મૂકીને આવે', ચોકીદારે કહ્યું કે આવો, પણ બધા શસ્ત્રો નીચે મૂકીને આવો. ‘અરે, જનકવિદેહી શું સમજે છે ? મારી પાસે તલવાર, બરછી કંઈ નથી અને હું થોડો આતંકવાદી છું ? કે ટાઈમબોમ્બ લઈને આવું ?' સંન્યાસી હતા, વિવેકી હતા. બીજી વખત કહેવરાવ્યું. ‘મેરી પાસ કુછ હૈ નહિ, કયું આપ ના કહતે હો ?' જનક વિદેહીએ કહ્યું કે ‘હૈ, ઉનકે પાસ બહુત શસ્ત્ર હૈ, યે સબ છોડકે આયેંગે. તબ હમારા મિલન હોગા, ઉનકે બિના નહિ હોગા.’ પછી ખ્યાલ આવ્યો કે હું સંન્યાસી છું અને મારી પાસે તો ઘણાં શાસ્ત્રો છે, હું વેદાંતી છું, વેદો જાણું છું, ઉપનિષદોમાં પારંગત છું, મારો મોટો આશ્રમ છે, મારે હજારો શિષ્યો છે, સંન્યાસીને ભાન થયું કે મારી પાસે મોટામાં મોટું શસ્ત્ર છે તે શાસ્ત્રો. હું શાસ્ત્રોનો ભંડાર લઈને જઈ રહ્યો છું. શાસ્ત્રો ખોટાં નથી, પણ શાસ્ત્રોને શસ્ત્રોમાં ફેરવવા ખોટા છે. આ શાસ્ત્રો લડવા કે પક્ષપાત માટે નથી, મત સ્થાપન કરવા માટે નથી. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, ૯૮ આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો. શાસ્ત્રો તો આત્માને નિર્મળ કરવા કહ્યા છે. સંન્યાસીને થયું, વાત સાચી છે. મારી પાસે તલવા૨ તો નથી પણ તલવાર કરતાં પણ વધારે ભયંકર શસ્ત્રો મારી પાસે છે, તે શાસ્ત્રો છે. જનક વિદેહી કંઈપણ કહેશે તેનો શાસ્ત્રો દ્વારા હું વિરોધ કરીશ. તમારી જાણકારી હશે તો ટ્યુનીંગ નહિ થાય. સદ્ગુરુ કંઈપણ કહેશે કે તુરત જ તમે કહેશો કે ‘સાહેબ ! મેં આ પ્રમાણે વાંચ્યું છે એનું શું ?' અને તેઓ એમ કહે કે ‘તમે આ પ્રમાણે વાંચ્યું છે તેનો અર્થ આમ થાય છે', તો તમે નહીં સ્વીકારો. સંન્યાસી વિચાર કરે છે અને વિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy