SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૭ ,, સેવા કરવાની પહેલી શરત, કોણ સેવા કરી શકે ? શું કરવું પડે તેના માટે ? કંઈ પૈસા આપવા પડે ? ચરણે કાંઈ મૂકવું પડે ? નમસ્કાર કરવા પડે ? આ તો બધો વ્યવહાર, ભલે કરો, પણ સૌથી મોટી વાત ‘ત્યાગી દઈ નિજ પક્ષ’, પોતાનો પક્ષ છોડીને. શાસ્ત્રોમાં કહ્યું છે કે છ ખંડનો માલિક ચક્રવર્તી, તેને જો વૈરાગ્ય થાય તો તણખલાંને જેમ છોડે તેમ છ ખંડની સાહ્યબીનો ત્યાગ કરી શકે છે. આવો ત્યાગી પોતાનો પક્ષ છોડી શકતો નથી. ભગવાન મહાવીરની સામે તેમના જમાઈ જમાલી પડ્યા હતા, તેઓ એમ કહેતાં હતાં કે ‘‘ભગવાન મહાવીર કહે છે તે ખોટું છે, હું કહું છું તે સત્ય છે.’' તેઓ ૫૦૦ સાધુઓ લઈને જુદા પડી ગયા અને ભગવાન મહાવીર સામે તેમણે જુદો ચોકો માંડ્યો. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના હજાર સાધ્વીઓને લઈને જુદી પડી ગઈ. આવા તીર્થંકર પુરુષો સામે, એમના જ કુટુંબીજનો વિરોધમાં પડ્યા અને કહે છે કે ભગવાન મહાવીર કહે છે તે યથાર્થ નથી. હું કહું છું તે મારો મત સાચો છે. બધું કરવા તૈયાર, તડકે તપવા તૈયાર, ઠંડીમાં ઠરવા તૈયાર અને વરસાદમાં ભીંજાવા પણ તૈયાર. બાહુબલીજી કહે છે કે આ બધું શક્ય છે. વેલડીઓ વિંટાય તે શક્ય છે, પક્ષીઓ માળા બાંધે તે પણ શક્ય છે, યુદ્ધના મેદાનમાં ઊતરવું શક્ય છે, બાર મહિના ઊભા રહેવું શક્ય છે, પણ નાનાભાઈના ચરણમાં માથુ મૂકવું તે શક્ય નથી. કેવળજ્ઞાન માટે બાર મહિના મોડા પડ્યા. આપણે અહંકારના કારણે મોડા પડ્યા છીએ પણ આપણને તેનો વસવસો પણ નથી. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી છોડી શકે છે, પોતાનો પક્ષ અને પોતાની માન્યતા છોડી શકતાં નથી. શાસ્ત્રોમાં શબ્દ આવે છે નિહવ. આ નિન્હેવ એટલે જે વાત પોતે પકડી છે અને તે વાત ખોટી છે, જ્ઞાની પુરુષ સામે હાજર હોય અને કહેતા હોય કે આ વાત યથાર્થ નથી અને આ વાત યથાર્થ છે એમ જાણવા છતાં પણ એ પોતાની વાતને છોડી ન શકે એવી મજબૂત પકડ જેના મનમાં છે, તેને કહેવાય છે નિન્તવ. સદ્ગુરુના ચરણમાં બેસવું, એટલા માટે સહેલું નથી કે ત્યાં બેસતાં પહેલા પોતાનો પક્ષ, પોતાની માન્યતા છોડવી પડે. જે પોતાનો પક્ષ છે એટલે પૂર્વબદ્ધ પોતાનો મત છે તે છોડવો પડે. પૂર્વગ્રહ યુક્ત મન, વ્યક્તિને જોયા પહેલા જ પોતે પહેલાં પૂર્વગ્રહથી યુક્ત થઈ જાય. પૂર્વ એટલે પહેલા અને ગ્રહ એટલે પકડ. જાણ્યા પહેલા, મળ્યા પહેલા જે પોતાની અંદરમાં પકડ થઈ જાય છે, તે રહી જાય એટલે પહેલાનો મત અને પોતાના મતમાં આગ્રહ અને આગ્રહ સાથે માન. એક કવિએ કહ્યું છે કે – मर्कटस्य सुरापानं, ततो वृश्चिकदंशनम् । तन्मध्ये भूतसञ्चारो, यद्वा तद्वा भविष्यति ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy