SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ સાહેબને બોલાવો અને બીજો દીકરો કહે કે મોદી સાહેબને બોલાવો. ત્રીજો દીકરો એમ કહે કે ત્રિવેદી સાહેબને બોલાવો. વળી ચોથો દીકરો કહે કે પારાંજપેને બોલાવો. બાપાને હાર્ટ એટેક આવ્યો છે, પણ નક્કી થતું નથી કે કયા ડૉક્ટરને બોલાવવો. બાપા ઉકલી જાય, ઠેકાણે પહોંચી જાય પછી ડૉક્ટર આવે તો કરવાનું શું ? આપણે પણ નિર્ણય કરી શકતાં નથી. પ્રત્યક્ષથી કામ થાય કે પરોક્ષથી કામ થાય ? આ કાળમાં સદ્ગુરુ છે કે નહિ, હોય તો કેવા હોય ? તેમને ઓળખવા કેવી રીતે ? જીવને કરવું જ હોય તો કરી શકે છે પણ નખરાથી ન થાય. ગુજરાતીમાં કહેવત છે ‘“જેને નાચવું નથી તેનું આંગણું વાંકુ’' આ આંગણું બરાબર નથી એમ કહેવાના બદલે એમ કહેને કે તારે નાચવું નથી, કરવું નથી એમ કહે ને. જેને કરવું છે તે કરી શકે છે. સાધનાની શરૂઆત ક્યાંથી થાય ? પ્રારંભ બિંદુ ક્યાંથી, શરૂઆતનું બિંદુ શું છે ? ધ્યાનથી સાંભળજો. કર્મથી શરૂઆત નહિ થાય. ક્રિયાથી શરૂઆત નહિ થાય, કર્મકાંડથી શરૂઆત નહિ થાય. તો શરૂઆત ક્યાંથી થાય ? સાધનાનું મંગલાચરણ ક્યાંથી કરવું ? જીવે પહેલા શું કરવું ? પરમકૃપાળુ દેવને બહુ અદ્ભુત વાત કરવી છે અને એ વાત એ છે કેસેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ (૯) ટીકા ઃ પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૯) સેવે એટલે પાસે જાય, બેસે, થોડું સાંભળે તેમ નહિ પણ સેવન કરે. જેમ દવાનું સેવન કરે, ખોરાકનું સેવન કરે, પક્ષી જેમ બચ્ચાનું સેવન કરે. તેમ સેવન કરે. કોનું? ચરણનું. ચરણ એટલે પગ નહિ, પગમાં શું સેવવા જેવું છે ? જો ચરણનો અર્થ પગ કરતા હો તો પગને હાથ અડાડો. આપણે પગને માત્ર હાથ અડાડીને નમસ્કાર નથી કરતાં પણ માથુ અડાડીને નમસ્કાર કરીએ છીએ. તેમાં સરળતા અને નમ્રતા છે. અને તેમાં વિજ્ઞાન પણ છે. જે અંદરની એનર્જી છે તે એનર્જી પગ વાટે જ્યારે બહાર જતી હોય અને તેનો ટચ જો થાય તો જીવનમાં ઘટના ઘટે. ‘સેવે સદ્ગુરુ ચરણને’, સદ્ગુરુના ચરણની એ સેવના કરે, આનંદધનજીએ કહ્યું છે ‘ધાર તરવારની સોહિલી દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા', તેઓ કહે છે કે તલવારની ધાર ઉપર ચાલવું હજુ સહેલું છે, તો મુશ્કેલ શું ? તો કહે દોહ્યલી જિનેશ્વરની ચરણ સેવા. ચૌદમા તીર્થંકરની ચરણસેવા કરવી દોહ્યલી છે. ગુરુ પાસે જવું સહેલું, તેમનો ઉપદેશ સાંભળવો તે સહેલું છે, તેમની બાહ્ય સેવા કરવી સહેલી છે, આહાર આદિ દાન આપવું સહેલું, વસ્ત્રો વગેરે આપવા સહેલાં. અહીં સેવાનો અર્થ બહુ જુદો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy