SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૫ જેને આચરવું હશે તેણે સમજવું પડશે. સમજવું એ પહેલાં મૂક્યું અને આચરવું એ પછી મૂક્યું. સમજ્યા વગર આચરશો શું? અજ્ઞાની પુણ્ય પાપનો નવિ ભેદ તે જાણે, નયગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે.” દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “પઢમં ના તો સયા' હે મુનિ! જેને અહિંસાની સાધના કરવી છે, જેને જીવ દયાની સાધના કરવી છે તેણે તત્ત્વને જાણવું પડશે. જે જીવને જાણતો નથી, જે અજીવને જાણતો નથી એ કેવી રીતે જીવદયાનું પાલન કરી શકશે? અહિંસાનું આચરણ કરવા માટે નવે નવ તત્ત્વોને જાણવા જરૂરી છે અને નથી જાણતા તેઓ તે આચરણ કરી શકતાં નથી. પહેલાં સમજવું અને પછી આચરણ કરવું. જો સમજશો તો આચરણમાં આનંદ આવશે, સુગમ થશે. હું લાઈટીંગને જાણતો જ ન હોઉં અને સ્વીચ ઊંચી-નીચી કર્યા કરું તો કાંઈ વળે નહિ. મને ખબર પડવી જોઈએ કે વાયર ક્યાં છૂટો પડ્યો છે. ગરબડ ક્યાં થઈ છે, તે પહેલા સમજવું જોઈએ. આમ યથાર્થ સમજને શાસ્ત્રોમાં વિવેકબુદ્ધિ કહે છે. તો ટૂંકમાં સાર એ આવ્યો કે જીવનમાં સાધના કરતી વખતે અથવા શાસ્ત્રોનું વાંચન કરતી વખતે એની ઘડ બેસાડવી પડે. કપડાંની ઘડી વાળો છો ને ! ક્યાંય સળ પડવી ન જોઈએ. કપડામાં સળ પડે તે ન ચાલે. કપડામાં સળ બેસાડવી પડે તેમ શાસ્ત્રમાં ધડ બેસાડવી પડે, આચરણમાં ધડ બેસાડવી પડે અને તે ઘડ ત્યારે બેસે કે જ્યારે બરાબર સમજમાં આવે. યથાર્થપણે સમજે તે જ યથાર્થપણે આચરણમાં મૂકી શકે. આ આઠ શ્લોકોમાં એક પ્રસ્તાવનાની વાત કરીને પરમકૃપાળુ દેવ હવે સીધી સાધનાની વાતનો પ્રારંભ કરે છે. આ નવમી ગાથાથી ઓગણીસમી ગાથા સુધી બધું ગુંચવણ ભરેલ છે. તે સમજીને નિર્ણય કરવો પડે. એક વાર ખંભાતમાં જમણવાર હતો અને જ્ઞાતીના આગેવાનોએ લોકોને કહી દીધું કે સવારે નવ વાગ્યે થાળી વાટકો લઈને જમવા આવજો. આખી જ્ઞાતીને જમવાનું છે. પછી રાતના ટ્રસ્ટીઓની મીટીંગ મળી કે શું બનાવવું? એક ગ્રુપે કહ્યું કે મોહનથાળ બનાવો અને બીજા ગ્રુપે કહ્યું કે બરફી ચૂરમું બનાવો. ચર્ચા ચાલી અને પછી તો બાયો ચડી ગઈ, ચડસાચડસી થઈ. જે મોહનથાળ ગ્રુપના હતા તે કહે બરફી ચૂરમુ કરી તો જુઓ, કેમ થાય છે! તો બરફી ચૂરમાવાળા કહે કે કેમ ન થાય? તમે પણ જોઈ લેજો. સવારે આઠ વાગ્યા, નિર્ણય થયો નહિ, આખી નાત થાળી વાટકો લઈને આવી. બધા કહે કેટલી વાર છે? ક્યાં જમવાનું છે? પણ નિર્ણય થાય તો ને! આ જીવ ચર્ચામાં, માન્યતામાં, કદાગ્રહમાં, પૂર્વગ્રહમાં અટવાઈ જાય છે. તેને ખબર પડવી જોઈએ ને નિર્ણય કરવો જોઈએ. એક માણસ માંદો પડ્યો અને કુટુંબ ભેગું થયું. ત્યાં એક દીકરો એમ કહે કે ભણશાળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy