SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૯ હોય, પોતાની માન્યતા હોય, પણ સત્યને જાણતાંની સાથે જ તે અસત્યને, મતને છોડવાની તૈયારી થાય તેને શાસ્ત્રમાં સરળતા કહે છે. સરળતાનો, ઋજુતાનો અર્થ માત્ર બીજાને ન છેતરવું તે નહિ, પણ જ્યારે જ્યારે આપણી સમક્ષ સત્ય આવે ત્યારે ત્યારે આપણે જીવનના તમામ પૂર્વગ્રહો, માન્યતાઓ અને તમામ મતો નિઃસંકોચપણે સરળતાથી છોડવા તૈયાર થઈએ અને સત્યનો આપણે સ્વીકાર કરીએ. શાસ્ત્રો અનેક છે, તેમાં અનેક વિભાગો છે, અનેક પ્રરૂપણા છે, અનેક વાતો છે, સાધકના જીવનમાં પણ અનેક પ્રક્રિયાઓ અને અનેક ભૂમિકાઓ છે, વિકાસના ક્રમમાં ચૌદ ગુણસ્થાનકો એ પ્રસિદ્ધ ભૂમિકાઓ છે, પેટા ભૂમિકાઓ અનેક છે. માર્ગાનુસારીથી શરૂઆત થાય અને ચૌદમા ગુણસ્થાન સુધી આરોહણ થાય, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? અને ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સાધક કઈ રીતે, કઈ કઈ ભૂમિકાથી કેવો કેવો વિકાસ કરે છે તેનું વર્ણન છે. આ તો વર્ણવી શકાય, કહી શકાય, પણ એવી અસંખ્ય ભૂમિકાઓ છે જેમાંથી સાધક પસાર થાય છે, તે અસંખ્ય ભૂમિકાઓનું વર્ણન શાસ્ત્રોમાં કરી શકાય તેવું નથી. શ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ પ્રકારના યોગ કહ્યા, ૧. ઈચ્છા યોગ, ૨. શાસ્ત્ર યોગ અને ૩. સામર્થ્ય યોગ. (૧) ઈચ્છા યોગ : ‘તૃમિો’ ધર્મ પ્રવૃત્તિ કરવાની તાલાવેલી છે, શાસ્ત્રોના અર્થને જાણે છે, જ્ઞાની છે પણ પ્રમાદના કારણે વિકલ-પોતાની નબળાઈના કારણે અવિધિપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરે છે, તેને ઈચ્છા યોગ કહે છે. એ પોતાની જાતને-નબળાઈને જાણે છે, સ્વીકારે પણ છે. આ વાતને સુરદાસજીએ પરમાત્માને વિનંતિના રૂપમાં કરી. ‘મેરો અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી હૈ નામ તુમ્હારો, ચાહે તો પાર કરો,' મારા અવગુણો ઘણાં છે, આપ હૃદયમાં ન રાખો. આપ તો સમદર્શી છો. આપ પાર કરો તો ય ભલે, ન કરો તો ય ભલે, પણ પ્રભુ ! મારા અવગુણને ચિત્તમાં ધારણ ન કરશો. હું અવગુણથી ભરેલો છું. આવી એક સરળતા, આવી એક નમ્રતા, સૌજન્યતા જેના જીવનમાં આવે છે, તે વ્યક્તિ સત્યનો સ્વીકાર કરે છે. (૨) શાસ્ત્ર યોગ ઃ જેનામાં શ્રદ્ધા છે, સાથે સૂક્ષ્મ બોધ છે, શાસ્ત્રમાં જે વિધિ બતાવી હોય તે વિધિપૂર્વક અપ્રમત્તભાવે યથાશક્તિ ધર્મપ્રવૃત્તિ કરે તેને શાસ્ત્ર યોગ કહે છે. (૩) સામર્થ્ય યોગ : બહુ મહત્ત્વનો છે. સાધના કરતાં કરતાં એવું બળ, એવું વીર્ય ફોરવે છે, એવો શક્તિનો સંચાર થાય છે, એવું સામર્થ્ય થાય છે કે એ જે સાધના કરે છે, તેનું વર્ણન શાસ્ત્રોમાં કરી શકાય તેવું નથી. આને કહેવાય છે સામર્થ્ય યોગ. આત્મામાં અનંત વીર્ય પડ્યું છે, એ વીર્ય ઉછળે છે સાધના કરતાં કરતાં. ખરેખરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy