SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ પ્રવચન ક્રમાંક - ૯ ગાથા ક્રમાંક - ૮ આત્માર્થી જન કેવો હોય ? ગઈકાલે આઠમી ગાથાના કેટલાંક અંશો જોયાં હતાં. બાકીના અંશો આજે લેવાના છે અને નવમી ગાથાનો પ્રારંભ કરવાનો છે. નવમી ગાથાથી માંડીને ઓગણીસમી ગાથા સુધી પરમકૃપાળુ દેવે ગહન રહસ્યો પ્રગટ કર્યા છે. તમારા મનમાં પ્રશ્નો ઊઠશે કારણ કે આપણે જે માનીએ છીએ તે અને પરમકૃપાળુ દેવ જે કહે છે તે વચ્ચે ઘણું અંતર છે, તાલમેલ નથી, સમન્વય નથી. આપણે જે માનીએ છીએ તે માનતી વખતે આપણે એક દરવાજો ખુલ્લો નથી રાખતાં કે સત્ય મારી પાસે આવશે તો હું સ્વીકારવા તૈયાર છું. આ દરવાજો બંધ કરી દઈએ છીએ. એવી સરળતા, એવી મધ્યસ્થતા હોય, એવી નિષ્પક્ષપાતતા હોય, એવી ઋજુતા હોય, એવું હૃદય ખુલ્લું હોય કે જ્યારે જ્યારે સત્ય મારી પાસે આવશે ત્યારે ત્યારે એ સત્ય હું સ્વીકારી લઈશ. એ સત્યનો હું ઈન્કાર નહીં કરું. શાસ્ત્રોમાં એક વર્ણન આવે છે, કોઈ શિષ્ય કોઈ નગરમાં રહ્યા હોય અને એમણે પ્રરૂપણા કરી હોય અને એ પ્રરૂપણામાં ભૂલ થઈ હોય, શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય અને જ્યારે તે ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવ એમ કહે કે તમે આ પ્રકારની જે પ્રરૂપણા કરી હતી એ શાસ્ત્રથી ખરેખર વિરુદ્ધ છે. શિષ્ય કહે કે “હવે શું કરવું?' ગુરુદેવ કહે કે “પ્રાયશ્ચિત કરો.” “શું પ્રાયશ્ચિત કરું?' તો ગુરુદેવ એમ કહે છે કે “જ્યાં તમે પ્રરૂપણા કરી છે ત્યાં તમે જાવ અને ત્યાં જઈને એમ કહો કે મેં જે કહ્યું છે તે શાસ્ત્રથી વિપરીત કહ્યું છે, ખોટું કહ્યું છે, સત્ય કહ્યું નથી.” શિષ્ય એમ કહે છે, “સાહેબ ! બધું થઈ શકશે પણ આ નહીં થઈ શકે. કઠિન વાત છે. જ્યાં મેં ઉપદેશ આપ્યો, પ્રરૂપણા કરી અને મારી સ્મલનાથી મેં અસત્ય કહ્યું, વિપરીત કહ્યું, શાસ્ત્ર વિરુદ્ધ કહ્યું, ત્યાં હું જઈને એમ કહ્યું કે મેં આ ખોટું કહ્યું છે? ખોટું હોવા છતાં હું તે ખોટું નહીં કહું.” જ્ઞાની પુરુષો કહે છે કે તે જીવ આરાધક નથી પણ વિરાધક છે. આ વાતમાં મહત્ત્વ એ છે કે આપણું હૃદય સત્યને સ્વીકાર માટે હર હંમેશ ખુલ્લું હોવું જોઈએ અને વરસો સુધી અસત્ય ઘૂંટ્યું હોય, મત ઘૂંટ્યો હોય, પૂર્વગ્રહ હોય, પોતાનો કદાગ્રહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy