SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ८७ તમારો ન્યાય આમાં તોલ્યો છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે સમજે, આચરે વાત પછી કરી, પહેલાં સમજે. આ સમજણમાં જ મોટા વાંધા છે. એટલા માટે તમે જ્યારે વાત કરતાં હો ત્યારે તમે એમ કહેતાં હો છો કે અલ્યા ! સમજતો કેમ નથી ? તું સમજને પહેલાં. અરે, સમજ્યા વગર નહિ ચાલે. અમારા અખાએ સરસ વાત કરી છે. ‘સમજ્યા વગરનું સુખ નહિ જીવને’, સમજ્યા વગર જીવને કરોડો ઉપાય કરવાથી પણ સુખ પ્રાપ્ત ન થાય. પરમકૃપાળુ દેવે મોટો સિદ્ધાંત આપ્યો કે, ‘સમજ પીછે સબ સહેલ છે, અને બિન સમજે મુશ્કિલ.' શું સમજવાનું ? તો જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજવું. જ્યાં જ્ઞાન જોઈએ ત્યાં જ્ઞાન સમજવું અને ત્યાગ જોઈએ ત્યાં ત્યાગ સમજવો અને જ્યાં વૈરાગ્ય જોઈએ ત્યાં વૈરાગ્ય સમજવો. જ્યાં અહિંસા જોઈએ ત્યાં અહિંસા સમજે, અને જ્યાં સત્ય જોઈએ ત્યાં સત્ય જ સમજે. જ્યાં દાન જોઈએ ત્યાં દાન સમજે અને જ્યાં ક્ષમા જોઈએ ત્યાં ક્ષમા સમજે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે, માત્ર સમજે નહિ પણ તે આચરે. આ કપરું કામ છે. ત્યાં ત્યાં તે આચરે, એટલે ક્રોધ દૂર કરવો હોય તો ક્ષમા જોઈએ અને ક્ષમા આચરવી પડે. અહંકાર દૂર કરવો હોય તો નમ્રતા જોઈએ અને નમ્રતા આચરવી પડે. લોભ દૂર કરવો હોય તો સંતોષ જોઈએ અને પછી તેણે સંતોષ આચરવો જોઈએ. લોભ બરાબર નથી એ તો સમજ્યા, પણ સમજવા માત્રથી ન ચાલે, સંતોષનું આચરણ પણ કરે, તે આત્માર્થી પુરુષનું લક્ષણ છે. (૧) વિવેકદૃષ્ટિ, (૨) અનેકાંતવાદ, (૩) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે સમજે અને (૪) જે સમજે તે આચરે, આ ચાર વાત જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી. અને આ ચાર જ્યાં ન હોય તેને કહેવાય મતાર્થી. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy