SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય છે. જૈન દર્શનમાં બે મુખ્ય સિદ્ધાંતો, એક વિવેક બુદ્ધિ અને બીજો સિદ્ધાંત અનેકાંતવાદ. બહુ દુઃખની વાત છે જૈનોને અનેકાંતવાદનો વારસો મળ્યો છે પણ તેની તેઓને ખબર નથી. આઈનસ્ટાઈનને તેની સાપેક્ષવાદની) ખબર છે, પણ આપણને ખબર નથી. અનેકાંતવાદ એ વાદ નથી, અનેકાંતવાદ કોઈ ફીલોસોફી નથી. અનેકાંતવાદ કોઈ વિચારધારા નથી. અનેકાંતવાદ કોઈ મત નથી. કોઈ અભિપ્રાય નથી, પણ અનેકાંતવાદ પદાર્થના ગંભીર સ્વરૂપને, પદાર્થના રહસ્યને સ્પષ્ટ કરનારું એક તથ્ય તત્ત્વ છે. પદાર્થને યથાર્થપણે જો સમજવો હોય, દ્રવ્યને યથાર્થપણે જો સમજવું હોય, અસ્તિત્વને યથાર્થપણે સમજવું હોય તો અસ્તિત્વને સમજવા માટેની શ્રેષ્ઠતમ પ્રક્રિયા અનેકાંતવાદ છે. અનેકાંતવાદ વિચાર નથી, તે તર્ક કે ચર્ચા નથી. જે પદાર્થ છે, જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, તેને સમજવાની સાચી પદ્ધતિ છે. તેનાથી વસ્તુને, તત્ત્વને સમજી શકો. દ્રવ્યને, ગુણ, પર્યાયને, અસ્તિત્વને, પ્રદેશને, પરમાર્થને તમે સમજી શકો છો, એ સમજવાની રીતને શાસ્ત્રો અનેકાંતવાદ કહે છે. અનેકાંતવાદ હોય તો આગ્રહ ન હોય, હઠાગ્રહ ન હોય, મતાર્થ ન હોય, દુરાગ્રહન હોય, અને અનેકાંતવાદ હોય ત્યાં પૂર્વગ્રહ પણ ન હોય. આગ્રહથી પર છતાં સત્યનિષ્ઠ એવી અનેકાંતની ખૂબી છે, અનેકાંતવાદ શબ્દ બરાબર નથી. માત્ર અનેકાંત શબ્દ જ બરાબર છે. વાદ નહિ, પણ વાદ એટલે કથન, વાદ એટલે શૈલી. વસ્તુને કહેવાની શૈલી, રીત, યથાર્થ રીતે કહેવાની પ્રક્રિયા તેનું નામ અનેકાંત. તમને કોઈ એમ કહે કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે તો તમે પૂછો ને કે આ કઈ રીતે? દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. વસ્તુ દ્રવ્ય અને પર્યાય બન્નેથી એકત્રિત થયેલી છે. ખ્યાલમાં આવે છે? આ વાત ખ્યાલમાં નહિ લો તો નહીં ચાલે, છૂટકારો નહિ થાય. ખ્યાલમાં લેવી પડશે અને તમે જૈનકુળમાં જનમ્યા છો અને તમે અનેકાંત ન જાણો તો કેમ ચાલે? અનેકાંત જો જાણતા હો તો આટલા મતમતાંતરો ન હોત. આટલા સંપ્રદાય ન હોત અને અનેકાંત જાણતા હોત તો આટલા લડાઈ ઝઘડા પણ ન હોત. મતમત ભેદે રે જો જઈ પૂછીયે, સૌ સ્થાપે અહમેવ, અભિનંદનજિન દરશન તરસીયે રે! આનંદધનજી થાક્યાં હશે, કોની સાથે વાત કરવી? કોને કહેવું? કોને પૂછવું? જાકુ જાકુ પૂછીયે, સી અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે!” અને આ વાત ભગવાન મહાવીરના સિદ્ધાંત માટે, આ વાત જૈનદર્શન માટે અને આ વાત પરમકૃપાળુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy