SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ વૈરાગ્ય નથી, તારું અંતઃકરણ શુદ્ધ નથી અને અંતઃકરણ શુદ્ધ નથી એટલે સવિચાર નથી, સદ્વિચાર નથી એટલે આત્માનું પ્રતિબિંબ આત્મામાં પડી શકે તેમ નથી. શાસ્ત્રો વાંચ્યા પછી પણ તું બહાર જ ઊભો રહીશ? તું અંદરમાં નહિ જાય તો અંદરમાં ઘટના નહિ ઘટે, અવસ્થા પ્રાપ્ત નહીં થાય. આનંદધનજીએ કહ્યું કે, નિજઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગ્રહીયે આપ સ્વભાવો. જ્ઞાન વિના તું તારા ઘરમાં પ્રવેશ નહિ કરી શકે. આ કામ જ્ઞાનનું છે. જ્ઞાન હાથ પકડીને રાગથી છોડાવશે. જ્ઞાન હાથ પકડીને આસક્તિ મમત્વ છોડાવશે, અધ્યાસ છોડાવશે, તાદામ્ય બુદ્ધિ છોડાવશે. જ્ઞાનનું સામર્થ્ય અપાર છે. પણ કેવું જ્ઞાન ? ત્યાગ-વૈરાગ્યથી શોભતું. યશોવિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. જૈસે શીર પર પાઘડી બાંધે, પહેરણ નહિ લંગોટી.” આદિવાસી રાજા સાથે મોટી પાઘડી બાંધે, પણ પહેરવા લંગોટી ન હોય. સારું ન લાગે, શોભે નહિ. માથે પાઘડી નહિ હોય તો ચાલશે, પણ લંગોટી તો પહેર. એ પહેર્યા વગર કેમ ચાલશે? એમ જ્ઞાન હોય અને ત્યાગ વૈરાગ્ય ન હોય તો લંગોટી નથી પહેરી તેવું લાગે. માથા પર પાઘડી બાંધી છે એટલે જ્ઞાન છે પણ ત્યાગ વૈરાગ્ય નથી. આ સાતમી ગાથામાં ઘણો મોટો ઉકેલ આપી દીધો, ઘણી સ્પષ્ટતા કરી. એક પણ અંગ હીણું નથી ગણાવ્યું. જ્ઞાન પણ જોઈએ અને ત્યાગ પણ જાઈએ. વૈરાગ્ય પણ જોઈએ, અંતઃકરણ શુદ્ધ પણ જોઈએ અને સદ્વિચાર પણ જોઈએ અને અંદરમાં આસક્તિનો ત્યાગ પણ થવો જોઈએ. તાદાભ્ય તૂટવું જોઈએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) એક પછી એક અતિ ગહન અને રહસ્યમય ગાથાઓ આવતી જાય છે. આપણાં મનમાં ઘણી ક્ષતિઓ છે, ભ્રમણાઓ છે. ઘણી બધી માન્યતાઓ અને ખ્યાલો છે. પણ સત્ય તેનાથી જુદું છે. આપણો મત જુદો છે અને તથ્ય એનાથી જુદું છે. એટલા માટે શ્રીમદ્જીના શબ્દો લઈને લડવાની જરૂર નથી, વાદ-વિવાદ કરવાની જરૂર નથી અને તેમને વાદ વિવાદનું સાધન બનાવવાની પણ જરૂર નથી. આપણે એવા અપલક્ષણા છીએ કે આપણાં હાથમાં જે કંઈ આવે તેને વાદ-વિવાદનું સાધન બનાવી દઈએ છીએ. શ્રીમદ્જી અમારી માન્યતા પ્રમાણે આમ કહે છે, તમે જે માનો છો તે બરાબર નહિ. અમે જે માનીએ છીએ તે બરાબર છે. મતલબ કે બધા જ ખોટાં છે, આનો અર્થ એવો થયો. હવે ઘણી અભુત ચર્ચાનો પ્રારંભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy