SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૩ માટે ત્યાગમાં અટકવું થાય તો સંસારનો અંત ન આવે. આત્મજ્ઞાન વગર હજારો ઉપાય કરવાં છતાં પણ સંસારનો અંત ન આવે, મુક્ત ન થવાય, અને એ આત્મજ્ઞાનને પામે નહિ. ક્રિયાજડને કહ્યું કે ભાઈ ! તું ત્યાગ કરે છે, વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, સાધન કરે છે તે સારી વાત છે પણ તે સફળ જો કરવા હોય તો તારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડશે. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે ત્યાગ વૈરાગ્ય આદિ સાધન તારી પાસે નહિ હોય તો તારી પાસે માત્ર વાચા જ્ઞાન હશે, વાણીનું જ્ઞાન હશે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. તો તે વાચા જ્ઞાન-શબ્દોમાં જ્ઞાન છે. પોપટને કોઈએ શિખવાડ્યું કે ‘બિલ્લી આવે તો ઊડ જાના' અને બિલ્લી આવી તો પોપટ બોલ્યો, બિલ્લી આવે તો ઊડ જાના, બિલ્લી પાંજરા પાસે આવી, પણ પોપટ તો બોલે રાખે કે બિલ્લી આવે તો ઊડ જાના. બિલ્લીએ એને પકડી લીધો. આ વાચા જ્ઞાન છે કે આત્મા નિત્ય છે, આત્મા જનમતો નથી, આત્મા મરતો નથી, આત્મા શાશ્વત છે, દેહ મરે છે. દેહ જુદો છે, આત્મા જુદો છે. જગતમાં કોઈ કોઈનું છે જ નહિ. બધા સ્વાર્થી છે. આવું બોલ્યું જાય, પણ ભૂખ લાગે ત્યારે ખબર પડે કે શું થાય છે ? રોટલી ભાણામાં આવે ને ઓછી ચોપડી હોય તો ગુસ્સો આવે કે રોટલી ઓછી કેમ ચોપડી છે ? અલ્યા ! તું હમણાં તત્ત્વજ્ઞાનની વાત કરતો હતો ને ! તે કહે કે ‘વાતની જગ્યાએ વાત, અહીં નહિ. અહીં તો રોટલી ઝબોળીને મળવી જોઈએ. જે તે ચાલે નહિ.’ શાસ્ત્રો એમ કહે છે કે આ વાચા જ્ઞાન છે. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે આ વાચા જ્ઞાનથી તારું કલ્યાણ નહિ થાય. તારે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કરવા પડશે. અને ક્રિયાજડને એમ કહ્યું કે તારે આત્મજ્ઞાન પહેલાં મેળવવું પડશે, ત્યાગ-વૈરાગ્યમાં અટકવાનું નથી. બન્ને વર્ગને એમણે દિવાદાંડી આપી. બન્ને વર્ગને કલ્યાણનો માર્ગ બતાવીને બહુ મોટો ઉપકાર કર્યો છે. ઘણાં સાધકો પાલીતાણા શત્રુંજય તીર્થની ચોવિહાર (નિર્જળા) બે ઉપવાસ કરી સાત યાત્રા કરે છે. તેમની મશ્કરી કરવા જેવી નથી, તેઓ બે હાથ જોડી વંદન કરવા યોગ્ય છે. તેમની અનુમોદના કરવી અને સાથે તેઓને ધીરેથી કહેવા જેવું છે કે તમે આ કર્યું, તે ઘણું સારું કર્યું પણ સાથે તમારા જીવનમાંથી ક્રોધ કષાય ઓછા થાય તો તમારી આ સાધના વિશેષ શોભશે. એમ તેમનું ધ્યાન દોરવા જેવું છે. ક્રિયા જડને કહ્યું કે આત્મજ્ઞાન વગર ક્રિયાઓ શોભશે નહિ અને શુષ્ક જ્ઞાનીને એમ કહ્યું કે વાચાજ્ઞાન છે, શાસ્ત્રોનો ભંડોળ છે, સિદ્ધાંતો વાંચ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ ભાઈ ! તારામાં ત્યાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy