SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ કરતાં આવડે તો કાર્યકારી પણ છે. તો બાહ્ય ત્યાગ પણ હોય અને અધ્યાસનો ત્યાગ પણ હોય-તાદાભ્યનો ત્યાગ પણ હોય. બંને મળીને જે ઘટના ઘટે છે તેને કહેવાય છે ત્યાગ. અત્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ અને બાહ્ય ત્યાગ એટલે પદાર્થોનો, વસ્તુઓનો ત્યાગ. એવા બંને ત્યાગ મળીને જે ઘટના ઘટે તેને વીતરાગ પરમાત્મા ત્યાગ કહે છે. - સિદ્ધાંત :- ““અત્યંત જ્ઞાન હોય, ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.' જ્ઞાન આસક્તિ કાઢ્યા વગર નહિ રહે, જ્ઞાન મમત્વ તોડ્યા વગર નહિ રહે, જ્ઞાન અબ્બાસ તોડ્યા વગર નહિ રહે. જ્ઞાન પદાર્થોની સાથે એકતા બુદ્ધિ તોડ્યા વગર ન રહે. તે જ્ઞાનનું સામર્થ્ય છે. હથોડાનો ઘા થાય અને વસ્તુ તૂટે નહિ તેવું બને નહિ, તેમ જ્ઞાન પ્રાપ્ત થાય અને આસક્તિ ન તૂટે તેમ બને નહિ. જ્ઞાન તો છે પણ આસક્તિ છૂટતી નથી એમ જો કોઈ કહે તો તેને કહેવા જેવું છે કે જ્ઞાન થયું છે, તેવો દાવો ન કરશો. જ્ઞાન નિરર્થક નથી, જ્ઞાન અક્રિય નથી, જ્ઞાન નબળું નથી. જ્ઞાન સક્રિય છે. અગ્નિને અડો અને હાથ બળે નહિ તેવું બને નહિ. ધગધગતા લોઢાને અડો અને હાથ બળે નહિ તેવું બને નહિ, તેમ જ્ઞાન પ્રાપ્ત થાય અને ત્યાગ ન હોય તેવું ન બને. જ્ઞાનની સાથે ત્યાગ જોડાયેલ છે. જ્ઞાન રાગને તોડે છે. જ્ઞાન આસક્તિને તથા મમત્વને તોડે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાન રાગની ધારાને તોડે છે. જ્ઞાન ત્યાગ તરફ લઈ જાય છે અને છેલ્લી વાત “અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય' એમ તીર્થંકર દેવે સ્વીકાર્યું છે. અભુત વાત છે. પરમકૃપાળુ દેવ આ અમે કહીએ છીએ એવો દાવો કરતા નથી. આપણે કંઈક કહીએ તેમાં દસ વખત બોલીએ છીએ કે હું આમ કહું છું, હું આમ કહું છું. કોઈ દિવસ જ્ઞાની પુરુષો દાવો કરતાં નથી. એમણે કહ્યું કે યથાર્થ ત્યાગ તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. આસક્તિનો ત્યાગ કરવો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અધ્યાસ તોડ્યો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અને જ્યારે એવું પરિણામ પ્રાપ્ત થાય તો જ્ઞાને કામ કર્યું તેમ કહેવાય. ત્યાગ વિરાગ નચિત્તમાં થાય ને તેને જ્ઞાન. વિરાગ એટલે વૈરાગ્ય. વિરાગ એટલે રાગની મંદતા. જૈનદર્શનનું એમ કહેવું છે કે જેમ સાપનો કણીયો ઘરમાં રખાય નહિ, બહાર કાઢવો જ પડે, અગ્નિનો કણીયો ઘરમાં હોય તે રખાય નહિ, ભડકો થાય. થોડું પણ દેવું રખાય નહિ, રાખીએ તો મોટું દેવું થાય. તેમ જીવનમાં રાગનો કણીયો પણ રખાય નહિ, રાગ સંસાર ઊભો કરે, માટે વીતરાગ શબ્દ વાપર્યો. થોડો રાગ ગયો તેમ નહિ પણ સંપૂર્ણપણે જેમનામાંથી રાગનો અભાવ થયો છે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy