SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહેવાય છે વીતરાગ, પણ તે પહેલાં રાગની મંદતા થાય, રાગનો ઘટાડો થાય, રાગનો રસ તૂટી જાય. આપણને રાગ કરતાં રાગનો રસ બહુ વધારે છે. તે તીવ્રપણે કામ કરે છે. મીઠાઈ ખાધી નથી પણ સામે જ આવી છે, જોઈ જ છે, પણ મોઢે પાણી છૂટે, કારણ રસ છે. રસ હોવાના કારણે પદાર્થો, વસ્તુઓ, સંયોગોમાં જીવ આસક્ત થાય છે અને રસ તો જ તૂટે જો પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જાણી લેવામાં આવે. આ જૈન દર્શનની વિશેષ વાત છે. ગાયત્ત્વમાવી જ સંવેવૈરાગ્યાર્થિન’ -આ જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો. લક્ષ્મીનું સ્વરૂપ જેવું છે તેવું જાણો, સ્વજનોનું સ્વરૂપ જેવું છે તેવું જાણો, આખા જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો. તો શું થશે? જગતનું સ્વરૂપ જાણવાથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. પરમકૃપાળુ દેવે ૧૬ વર્ષની ઉંમર પહેલાં ભાવના બોધની પહેલી ગાથામાં કહ્યું, વિદ્યુતલક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ, અનંગરંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. બહુ મહત્ત્વની વાત કરી. ક્યાં રમવા જેવું છે? ક્યાં રાગ કરવા જેવો છે? ક્યાં આસક્તિ કરવા જેવી છે? શું રાચીયે? કેમ એમ? ક્ષણનો પ્રસંગ. આ બધું છે ખરું, પણ ક્ષણ પૂરતું. બીજી ક્ષણે હશે નહિ. કમળનાં પાંદડા ઉપર પાણીનું બિંદુ પડ્યું છે, જોયું ન જોયું ત્યાં ખરી પડે. હાથમાં પાણી લીધું છે, જોયું ત્યાં સરી પડે. પતાસુ પાણીમાં મૂક્યું છે તરત પીગળી ગયું, તેમ જગતનાં પદાર્થો આ પ્રકારના છે. “શું રાચીએ? ક્ષણનો પ્રસંગ!' આ સમજણ આવતાં અંદર વૈરાગ્યનું બીજ પ્રાપ્ત થાય. આ સમ્ય વિચાર છે. સમ્ય વિચાર વગર રિસાઈને, ચીડાઈને ગુસ્સે થઈને, ઘણાં લોકો કજીયો કરીને બહાર નીકળી જાય છે. હવે ઘરમાં પગ નહિ મૂકું. તમારું મોટું નહિ જોઉં, પતી ગયું. હવે વૈરાગ્ય થઈ ગયો ! એ ભાઈ રાતના સૂતો હશે ને ત્યારે બાબો યાદ આવે, બાબો શું કરતો હશે? એની મમ્મી શું કરતી હશે? આ રસ તો રહ્યો, અંદરથી રસ છૂટ્યો નથી. વૈરાગ્યનું બીજ સમ્યગૂ વિચાર છે. સમ્યગૂ વિચારથી જ્યારે અધ્યાસ તૂટે છે, ત્યારે અધ્યાસ તૂટતા રાગ મંદ પડે છે. એવો રાગ મંદ પડતાં જે અંદરમાં અવસ્થા આવે છે, તેને કહેવાય છે વૈરાગ્ય. તાદાભ્ય તૂટતાં પદાર્થ પ્રત્યેનું અંદર મમત્વ જે છૂટે છે તેને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્યનું બીજ સમ્ય વિચાર અને સમ્યગૂ વિચારનું ફળ સદાચાર, ત્યાગ, વિરાગ, સમ્ય વિચાર, સદાચાર તેનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના વગર આત્મજ્ઞાન થાય નહિ. સમ્યમ્ વિચારથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, વૈરાગ્યથી અંતઃકરણ શુદ્ધ થાય, ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય. સદાચારથી અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણ શુદ્ધ થતાં અંદરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy