SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અદ્ભુત વાત કરી, એટલા માટે જ એમ કહ્યું કે ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. દેહ ને આત્મા બન્ને ભિન્ન છે, પણ જ્યાં જ્યાં દેહ આપણને મળ્યો ત્યાં હું શરીર એ પ્રકારનો ભાવ આત્માએ વારંવાર કર્યો. તમે શરીરથી જુદા છો અને શરીર નથી, શરીર અને આત્મા બન્ને જુદા છે, તમે શરીરમાં છો પણ તમે શરીર નથી. તમે દેહમાં છો પણ દેહ નથી, આવો નિર્ણય જીવે કર્યો નથી. જ્યાં જ્યાં દેહ મળ્યો ત્યાં ત્યાં દેહ સાથે તેણે એકતા અનુભવી છે, તન્મયતા અનુભવી છે. કૂતરાને ખબર છે કે હું કૂતરું છું, ગાયને ખબર છે કે હું ગાય છું, સ્ત્રીને ખબર છે કે હું સ્ત્રી છું અને પુરુષને ખબર છે કે હું પુરુષ છું. વાણિયાને ખબર છે કે હું વાણિયો છું અને મુસલમાનને ખબર છે કે હું મુસલમાન છું. કૂતરું હોય, ગાય હોય, ગધેડું હોય અને તમે કૂતરાને રોટલી ખવરાવવા ઓટલા ઉપર ઊભા રહો ને કૂતરું કૂતરું એમ બોલો તો કૂતરાને ખબર છે તેથી કૂતરું જ આવે, ગધેડું ન આવે. ગધેડાને એટલી ખબર તો છે કે હું કૂતરું નથી. શરીર જુદુ છે અને આત્મા જુદો છે તેની તમને ખબર છે? જો ખબર નથી તો તેને કહેવાય છે અધ્યાસ. એવો અધ્યાસ નિવર્તવો, એવો અધ્યાસ છૂટી જવો, એવું તાદાભ્ય તૂટી જવું, એવી અવસ્થાને જિનેશ્વર પરમાત્મા ત્યાગ કહે છે. જગતનાં કોઈપણ સાહિત્યમાં આવી વ્યાખ્યા નથી. પદાર્થોનો ત્યાગ અનંતવાર કર્યો છે, તમે જીવંત અવસ્થામાં નહિ છોડો તો મોત આવીને છોડાવશે પણ તેને ત્યાગ નહિ કહેવાય. ત્યાગ તો ખુમારી છે, ત્યાગ તો બહાદુરી છે, ત્યાગ તો શૂરવીરતા છે. જીવતાં જાગ્રત અવસ્થામાં પોતાની આસક્તિ છોડે તેને ત્યાગ કહેવાય, મર્યા પછી શું રહેવાનું? કબીરજીએ કહ્યું છે “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.” કોણ તમારી સામે જોવાનું? પૂ. ઉદયરત્ન મ. કહ્યું છે કે, કાઢો રે કાઢો, એને સૌ કહે, જાણે જનમ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે. તે ત્યાગ નથી. ત્યાગ એટલે જે પદાર્થોની સાથે અધ્યાત છે અને અધ્યાસને કારણે એ પોતાને ભૂલી ગયો છે, તે તાદાભ્ય-અધ્યાસ નિવૃત્ત થવો તેને કહેવાય છે ત્યાગ. પરમકૃપાળુ દેવની આ અદ્ભુત શૈલી છે, તેમણે કહ્યું, “અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ તો થાય, પણ તેવો ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ એ પણ બહુ ઉપકારી છે.” અંતરમાં ત્યાગ થવા માટે, અધ્યાસનો ત્યાગ થવા માટે, બાહ્ય ત્યાગ એ પણ બહુ ઉપકારી છે. જો તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy