SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ બોળો, સાબુ લગાડો અને મસળો, થોડીવાર રાખી મૂકો, ધોકો મારો અને પછી જુઓ કે થોડો મળ ઓછો થયો છે, થોડો રંગ ખીલ્યો છે. તો બીજી વખત તમે સાબુ લગાડો. જેમ જેમ સાબુ લગાડો તેમ તેમ કપડું નિર્મળ થાય. જેમ જેમ ત્યાગ વૈરાગ્યની સાધના થાય તેમ તેમ અંતઃકરણ નિર્મળ થાય અને એ અંત:કરણમાં સ્વયં જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન બહારથી લાવવાની ચીજ નથી, એ અંતઃકરણમાંથી પ્રગટશે. કેવું અંતઃકરણ જોઈએ? તો શુદ્ધ-નિર્મળ. અંતઃકરણ કહો, ચિત્ત કહો કે મન કહો, એક જ છે. બુદ્ધિથી કે માત્ર વાંચવાથી જ્ઞાન થાય તેમ નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે શુદ્ધ મન જોઈએ અને શુદ્ધ મન (અંતઃકરણ) વગર ત્યાગ-વૈરાગ્ય ન થાય. માટે સિદ્ધાંત આવ્યો કે “ત્યાગ-વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” જીવનમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તે શબ્દ ન વાપર્યો, શરીરમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તેમ શબ્દ ન વાપર્યો, બહારમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તે શબ્દ ન વાપર્યો, શબ્દ વાપર્યો છે ચિત્ત. ચિત્ત એટલે અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય જોઈએ. બહારમાં ત્યાગ હોય અંદરમાં ત્યાગ ન પણ હોય. ત્યાગ બહારમાં પણ જોઈએ અને અંતઃકરણમાં પણ જોઈએ. પત્રાંક નં ૫૬૯ માં પરમકૃપાળુ દેવે બહુ અદ્ભુત વાત કરી છે. બે મુદ્દાઓ છે. કપડાં બદલવા તેનું નામ ત્યાગ ? બાહ્ય પદાર્થો છોડવા તેનું નામ ત્યાગ ? છોડીને ક્યાંક ચાલ્યા જવું? ગુફામાં જાવ તોય ભલે, એકાંતમાં જાવ તોય ભલે. બધું છોડીને જાવ તોયે ભલે, પણ માત્ર એટલો જ ત્યાગ નથી, ત્યાગ વિશેષ ઘટના છે. આત્મામાં થતાં જ્ઞાનના, દર્શનના, શ્રદ્ધાના, ચારિત્રના, સદ્ભાવનાનાં પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ તૂટવો તે ત્યાગ છે. તાદાભ્ય એટલે તદાકારપણું, તન્મય થવું. આમ તો લોઢું ઠંડુ છે, તેને હાથમાં લો તો પણ વાંધો નહિ, પણ જો લોટું અગ્નિથી તપેલું હોય તો તેને અડાય નહિ, કારણ કે લોઢું અગ્નિમાં તન્મય થઈ ગયું છે, અથવા અગ્નિ લોઢામાં તન્મય થઈ ગયો છે. જો તેને અડશો તો દાઝયા વગર નહિ રહો. જેમ લોઢું અને અગ્નિ તન્મય થાય છે તેમ અન્ય પદાર્થોની સાથે આ આત્માને તાદાભ્યતા આવે છે, તરૂપતા આવે છે. જાણે એકાકાર અવસ્થા થઈ જાય. પદાર્થ અને આત્મા જુદા છે એવું ભાન એ વખતે ભુલાઈ જાય છે અને એ ભાન વારંવાર જે ભૂલવું અને પદાર્થની સાથે તન્મયતા અનુભવવી તેને કહેવાય છે અધ્યાસ. એકનો એક વિચાર, એકની એક પ્રક્રિયા વારંવાર કર્યા પછી એ લગભગ સ્વાભાવિક થઈ જાય તેને કહેવાય છે અધ્યાસ. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy