SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭૫ તો ને આત્મપ્રાપ્તિનો હેતુ ન હોય તો ક૨શે શું ? આત્મજ્ઞાન આત્માનુભૂતિનું લક્ષ નથી માટે અજ્ઞાન છે અને અજ્ઞાન હોય તો માનમાં અટકે, પ્રશંસામાં અટકે, લોકસંજ્ઞામાં અને લોકેષણામાં અટકે, મનાવવા અને પૂજાવવાની વૃત્તિમાં અટકે. બાહ્ય વૈભવમાં અને બાહ્ય માન્યતાઓમાં અટકે. અજ્ઞાન શું નથી કરતું ? અજ્ઞાન જો હોય તો અજ્ઞાનનો મોટો પરિવા છે એટલા માટે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ‘અજ્ઞાનં ખલુ કષ્ટ', સૌથી મોટું કષ્ટ જો કંઈ હોય તો તે અજ્ઞાન છે. પ્રાથમિક એક વાત સમજી લઈએ. જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર બુદ્ધિ નથી, જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર વાંચન, ચર્ચા કે વાદવિવાદ નથી. માત્ર એટલે એટલું જ કારણ નથી, પણ ‘‘આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિવિધ્યાસિતવ્યો’’ જે આત્મતત્ત્વ છે તેનું શ્રવણ થાય, મનન થાય અને નિદિધ્યાસન થાય તે પણ છે. આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ જો કરવી હોય તો એ માટે સાધક પાસે શુદ્ધ અંતઃકરણની મૂડી જોઈશે. સ્વચ્છ જળમાં જેમ પ્રતિબિંબ પડે તેમ શુદ્ધ-સ્વચ્છ અંતઃકરણમાં, આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે. તમને ક્યારેય થાય છે કે ઘણું સાંભળીએ છીએ, વર્ષો સુધી સાંભળીએ છીએ પણ અંદ૨માં કાંઈ ઘટતું નથી, પરિવર્તન થતું નથી, પ્રકૃતિ અને વૃત્તિ તો બદલાતી નથી, કર્મ બદલાતું નથી, અવસ્થા એની એ ૨હે છે. તેની પીડા જો જીવનમાં થાય તો તેનું કારણ અંતઃકરણની શુદ્ધિ નથી. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ અને વૈરાગ્યથી થાય છે. આ જુદો વિભાગ છે, આ જુદો રસ્તો છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી સમજ એવી છે કે, તીવ્ર બુદ્ધિમત્તા હોય, ઘણાં શાસ્ત્રો, ગ્રંથો અને સિદ્ધાંતો વાંચ્યા હોય, ઘણી ચર્ચાઓ કરી હોય, ઘણાંના સાનિધ્ય સેવ્યા હોય, ઘણાં શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ આ પ્રક્રિયા જુદી છે. અહીં પરમકૃપાળુ દેવ એમ કહે છે કે, તીવ્ર બુદ્ધિમત્તા હોય, બહુ આનંદની વાત પણ તીવ્ર બુદ્ધિમત્તા અને શુદ્ધ અંતઃકરણ વચ્ચે ફરક છે. તીવ્ર બુદ્ધિમત્તા હોય પણ અંતઃકરણ શુદ્ધ ન હોય, માત્ર બુદ્ધિ આત્માને સમજવા આત્મજ્ઞાનના કામમાં નહિ આવે. આ બુદ્ધિ ઉપર શ્રવણ, મનન અને નિદિધ્યાસન પ્રક્રિયાની જરૂર છે. જ્ઞાનની પ્રાપ્તિ બુદ્ધિથી થાય છે તે સિદ્ધાંતને બદલે જ્ઞાનની પ્રાપ્તિ અંતઃકરણની શુદ્ધિથી થાય છે. અંતઃકરણની શુદ્ધિ શેનાથી થાય ? તો કહે કે ત્યાગ અને વૈરાગ્યથી થાય. અંતઃકરણની શુદ્ધિ જેટલા જેટલા પ્રમાણમાં થાય તેટલા તેટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યનું બળ વધતું જાય અને જેટલા જેટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યનું બળ વધતું જાય એટલા એટલા પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ થતું જાય. કપડાંમાં મેલ છે, કપડું બહુ મેલુ થયું છે. પાણીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy