SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ પ્રવચન ક્રમાંક - ૮ ગાથા ક્રમાંક - ૭ આત્મજ્ઞાનનું કારણ-ત્યાગ વૈરાગ્ય. ત્યાગ વિરાગ નચિત્તમાં થાય તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. (૭) ટીકા જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાતુ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. જેમ સંસારમાં સમસ્યાઓ હોય છે, જેમ જીવનમાં સમસ્યાઓ હોય છે, જેમ સંપ્રદાયોમાં સમસ્યાઓ હોય છે, જેમ ધર્મમાં સમસ્યાઓ હોય છે તેમ આધ્યાત્મિકતામાં પણ સમસ્યાઓ હોય છે, અને એ સમસ્યાઓ ઉકેલાવી જોઈએ, ત્યાર પછી જ સાધક સ્વસ્થપણે સાધનાનો પ્રારંભ કરી શકશે. માટે શાસ્ત્રોને અત્યંત મહત્ત્વની વાત કરવી છે પરંતુ એ વાતને યથાર્થપણે સમજતાં પહેલાં થોડી ભૂમિકા સમજી લઈએ. ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્ય જેના ચિત્તમાં નથી તેને જ્ઞાન થતું નથી. જ્ઞાન થતું નથી એટલે? આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાન શબ્દનો અર્થ ભૌતિકજ્ઞાન નહિ, વિજ્ઞાન નહિ પણ આત્મજ્ઞાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય એટલે આત્મજ્ઞાન ન થાય, સ્વરૂપ જ્ઞાન ન થાય, અસ્તિત્વનું જ્ઞાન ન થાય, સ્વનું જ્ઞાન ન થાય, નિજનું જ્ઞાન ન થાય અને જો ત્યાગ વૈરાગ્યમાં જે અટકી જાય, રોકાઈ જાય એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન હોય, આત્મજ્ઞાનનું લક્ષ ન હોય. આશ્ચર્યની વાત છે કે ત્યાગ છે વૈરાગ્ય છે અને આ બધું હોવા છતાં તેને આત્માનું લક્ષ નથી અને જો આત્માનું લક્ષ ન હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy