SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ (૩) ત્રીજી વાત-ભોગમાં અનાસક્તિ અર્થાત્ ભાગમાં આસક્ત ન બનવું. ભોગોમાં ગળાડૂબ ડૂબેલા ન રહેવું, એ પણ એક મહત્ત્વની અવસ્થા છે. શાલિભદ્રને વૈરાગ થયો. તેમને ૩૨ સ્ત્રીઓ હતી. તેમણે નિયમ કર્યો હતો કે રોજ એકેક સ્ત્રીનો ત્યાગ કરવો. તેમના બનેવી ધન્નાજીએ આ વાત સાંભળી. તેઓ આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી શાલિભદ્ર પાસે આવ્યા ને કહ્યું કે શાલિભદ્ર ત્યાગ આમ ન થાય. છોડવું હોય તો એકી સાથે છોડો. ઘટના એવી ઘટી કે તેઓ બન્ને એકી સાથે બધું છોડી નીકળી ગયા. આ કેમ ઘટ્યું? તેઓ ભોગમાં અનાસક્ત હતા. (૪) ચોથી અને છેલ્લી વાત, માનાદિનું પાતળાપણું. ક્રોધ, માન, માયા, લોભ આદિનું પાતળાપણું. પાતળાપણું એટલે તેનું બળ ઘટી જવું જોઈએ. કહેવત છે કે વીંછીનું જોર એના ડંખમાં, સાપનું જોર એની દાઢમાં, ક્ષત્રિયનું જોર એની તલવારમાં અને વાણિયાનું જોર એની કલમમાં, આની તમને ખબર છે. એમ મોહનું જોર કષાય છે. જો મોહ નબળો પડી જાય તો કષાય પાતળા પડી જાય. ચાર બાબતો (૧) સંસાર પ્રત્યે ઉદાસીનતા (૨) દેહની મૂછનું અલ્પત (૩) ભોગમાં અનાસક્તિ અને (૪) માનાદિનું પાતળાપણું, આ માનાદિનું પાતળાપણું બહુ આકરું પડે. જુઓ, મહારાજ પાસે ગયા, તેમણે આવો એમ પણ ન કહ્યું, સામું પણ ન જોયું, “બેસ' તેમ પણ ન કહ્યું. યાદ રાખજો, પુરુષો કે જ્ઞાની પુરુષો તમારી સામે ન જુએ તોપણ તમે તો કેડો મૂકશો નહિ, કારણ કે એમનું ધ્યેય છે કે તમને મુમુક્ષુ બનાવવા છે, તમને મુમુક્ષુમાંથી સમ્યગ્દષ્ટિ બનાવવા છે, સમ્યગ્દષ્ટિમાંથી વીતરાગ બનાવવાં છે. આવી કડવી ફરજ એમને અદા કરવી છે. બાળક ચાલતું હોય અને બાળક પડી જાય તો તે ઊભું થઈ શકે નહિ. મા સાંભળે છે, જોવે છે કે બાળક રડે છે, પણ કહેશે કંઈ વાંધો નહિ. એને બાળકને ચાલતાં શીખવાડવું છે. સત્પુરુષને તમને વીતરાગતામાં લઈ જવા છે. માટે તમે આવી બધી અપેક્ષા ન રાખશો કે “અમને કેમ બોલાવતા નથી? કેમ માન નથી આપતા? અમને આશીર્વાદ આપીને સુખી થાવ, તમારી લીલી વાડી થાય, તેવું કેમ કહેતા નથી?' આ તમારે જોઈએ છે પણ આવું જ્ઞાની પુરુષો કહેતા નથી. આત્મજ્ઞાન પામતાં પહેલાં પણ તે ગુણો જોઈએ, અને આત્મજ્ઞાન પામ્યા પછી તે ગુણો દઢ થાય છે, કારણ તમામનું મૂળ આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું છે, શુષ્કજ્ઞાનીને નહિ. જ્ઞાની પુરુષ કહે છે કે તમે માનો છો “અમને આત્મજ્ઞાન છે પણ અંદરમાં ભોગની કામનાનો અગ્નિ બળ્યા કરે છે. પૂજા, સત્કાર, સન્માન, લોકો માને, પૂજે, એવી કામના અંદર સ્કુરાયમાન થાય છે, અને એના કારણે ઓછું વધતું જો થાય તો આકુળતા વ્યાકુળતા પણ થાય છે. આ બધું તમારા ખ્યાલમાં કેમ નથી આવતું? માટે તમારે પણ ત્યાગ, વૈરાગ્યની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy