SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અલૌકિક આનંદ છે અને ઉદાસીનતા એક મહેફીલ છે. ઉતરેલું મોટું અને ધીમો અવાજ એ ઉદાસીનતાનું લક્ષણ નથી. ઘણાં લોકો ધીમા અવાજે બોલે છે ને? ગળું બેસી ગયું હોય અને પૂછીએ કે કેમ? તો કહે ઉદાસીનતા આવી ગઈ છે. ઘરમાં જાય તો છોકરા સાથે વાત ન કરે. છોકરો કહેશે કેમ આમ પપ્પા? તો કહેશે બેટા ! ઉદાસીનતા આવી ગઈ છે. ઉદાસીનતા તો જીવનનો આહ્વાદ અને મસ્તી છે. આ એક ચેતનાની અવસ્થા છે. (૨) દેહની મૂછનું અલ્પત્વ એ બીજો ગુણ. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સંસારમાં, દુનિયામાં તમામ દુઃખોનું મૂળ કોઈપણ જો હોય તો આ શરીર છે. જન્મ્યા એટલે શરીર મળે, પછી રોગ આવે, જન્મ થયો તો વૃદ્ધાવસ્થા આવશે, જન્મ થયો તો સંયોગો આવશે. જન્મ થયો તો વિયોગ થશે. જન્મ થયો તો પદાર્થો મળશે. જન્મ થયો તો પદાર્થો છૂટશે. જન્મ થયો તો કોઈ તમને ગમશે, જન્મ થયો તો કોઈ નહિ ગમે. જન્મ થયો તો કોઈ ઉપર વહાલ ઉભરાશે અને જન્મ થયો તો કોઈ ઉપર દ્વેષ થશે. વિયોગ થયો, કારણ જન્મ્યા માટે ને? લોકો કહે છે, “અરેરે અધવચ્ચે છોડીને ગયા.” તો ક્યારે છોડીને જાય? અધવચ્ચે જ છોડીને જાય ને? ઘટના તો એમ જ ઘટવાની છે. અધવચ્ચે છોડીને જ જવાનું છે. શું થાય? શરીર છે તો તમામ દુઃખો છે. બીજી આશ્ચર્યની વાત, આ જીવને સૌથી વધારે મૂછ જો હોય તો આ દેહને કારણે. ઉમાસ્વાતી ભગવાને તત્ત્વાર્થસૂત્રની કારિકામાં એક કડી આપી છે. . दु:खनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म। ભાઈ! આ શરીર તો દુ:ખમાં નિમિત્ત થશે, દુઃખી થવું ન થવું તે તમારી સ્વતંત્રતા છે. જેમ શરીર દુઃખમાં નિમિત્ત છે એમ સમ્યક્દર્શન આદિ પ્રાપ્ત કરવામાં પણ આ શરીર નિમિત્ત બની શકે છે. દુ:ખમાં નિમિત્ત બનાવવું ન હોય તો સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર્ય એની પ્રાપ્તિમાં નિમિત્ત બનાવો. જ્ઞાની પુરુષ કહે છે કે દેહની મૂર્છા ઘટ્યા સિવાય વ્રતની, તપની, જાપની, સ્વાધ્યાયની, ધ્યાનની કોઈ સાધના નહિ થાય. લોકો એમ કહે છે કે શિયાળો જાય, ઠંડી ઓછી થાય પછી આપણે ધ્યાનમાં બેસવું છે. પછી ઉનાળો આવ્યો, તો કહેશે અહાહા ! આ તો શેકાઈ જઈએ છીએ. વરસાદ વરસે પછી ધ્યાન કરશું. વરસાદ વરસે પછી કહે કે વરસાદમાં પલળી જઈએ છીએ તો ધ્યાન કેવી રીતે થાય? ઉનાળામાં નહિ, શિયાળામાં નહિ, ચોમાસામાં નહિ તો પછી ધ્યાન ક્યારે થાય? કઈ ઋતુમાં તું ધ્યાન કરીશ? આ દેહની મૂછ. દેહનો તિરસ્કાર કરવાનો નથી, દેહ પ્રત્યે નફરત કરવાની નથી, દેહને તોડી નાખવાની વાત નથી, પણ દેહ પ્રત્યેની મૂછ ઉઠાવી લેવાની છે. જો ધનની મૂછ જશે તો દાન આપી શકશો અને દેહની મૂછ જશે તો ધ્યાન કરી શકશો, સાધના કરી શકશો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy