SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ નહિ, આવી ભલામણ ક્રિયાજડને કરી, ચેતવણી આપી, આ તેમની કરુણા છે. જે શુષ્કજ્ઞાની છે તેને લાગે છે કે અમે આત્માને જાણ્યો, હવે અમારે ત્યાગની કે વૈરાગ્યની જરૂર નથી. પદ્મવિજયજી મહારાજે તપપદની પૂજામાં કહ્યું છે કે, ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જટમાં, તપ કરીયે સમતા રાખી ઘટમાં. ઉપા. યશોવિજયજી મહારાજે સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરા’, વીણતાં ચીંથરા એ શબ્દ પડિલેહણની ક્રિયા માટે વાપર્યો છે. જૈન મુનિઓ બે વખત પડિલેહણની ક્રિયા કરતાં હોય છે. આ ઉપાધ્યાયજી જૈન મુનિ છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, તેઓ એમ કહે છે કે કોઈ કહે ‘‘મુક્તિ છે વીણતાં ચીંથરા.’’ આ ક્રિયા જડ માટે કહ્યું છે. અને ‘કોઈ કહે મુક્તિ છે, જીમતાં દહીથરા.' આ વાત શુષ્કજ્ઞાની માટે કહી. આત્માની વાત કરો અને દહીથરા ખાધા કરો તો મોક્ષ મળશે, બીજું કંઈપણ કરવાની જરૂર નથી. આમ જ્ઞાની બન્નેની આંખ ઉઘાડે છે. શુષ્કજ્ઞાની ત્યાગ રહિત હોય, વૈરાગ્યરહિત હોય, વાચાજ્ઞાની હોય, એને કહે ભાઈ ! વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન છે, કારણ વગર કાર્ય ન બને. તમે વૈરાગ્યાદિ પામ્યા નથી તો આત્મજ્ઞાન કેમ પામી શકશો ? માટે તટસ્થપણે, નિષ્પક્ષપાતપણે તમે અવલોકન કરો. વિચારો જેથી તમને પણ ખ્યાલ આવે. આત્મજ્ઞાન થયા પહેલાં આ ચાર ગુણો મુમુક્ષુમાં જોઈએ. (૧) સંસાર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા, કંટાળો શબ્દ નથી વાપર્યો. ઉદાસીનતાનો અર્થ જાણીને, સમજીને, વિચારીને અને સમ્યક્ પ્રકારે નિર્ણય કરી સંસારથી વૃત્તિ પાછી વાળવી તેને કહેવાય છે ઉદાસીનતા. આપણે તો કોઈપણ માણસનું મોઢું પડેલું હોય તો પૂછીએ છીએ કે કેમ તમે ઉદાસીન થયા છો ? પડેલું કે ચડેલું મોઢું એ ઉદાસીનતા નથી. છ ખંડનો માલિક ચક્રવર્તી હોય, આખી ધરતી તેની સત્તાતળે હોય, બધી સત્તા હાથમાં હોય, પણ એણે જાણ્યું છે કે તેનો સ્વભાવ અને તેની અવસ્થા કેવી છે ? કોઈ કવિએ કહ્યું છે કે, એક દિન જાના હૈ, ઔર મિટ્ટીમેં મિલ જાના હૈ, ‘મિટ્ટી કહે કુમ્હારકો તું ક્યું રોં દે મોય, એક દિન એસો આયેગો મૈં રોદુંગી તોય.’ આ જ્ઞાનીએ જાણી લીધું છે. વસ્તુઓ તો છે, પદાર્થો તો છે, પણ તેનાથી તે ઉદાસીન છે, એ ઉ૫૨ ઊઠ્યો છે. ઉદાસીન એટલે ઉપર ઊઠવું. પદાર્થોથી ઉપર ઊઠવું, વસ્તુઓથી અને સંયોગોથી ઉપર ઊઠવું, વ્યક્તિઓથી ઉપર ઊઠવું, પરિસ્થિતિઓથી ઉપર ઊઠવું, આને કહેવાય છે ઉદાસીનતા. ઉદાસીનતા તો ખુમારી છે, ઉદાસીનતા તો મસ્તી છે, ઉદાસીનતા જીવનનું સંગીત છે. ઉદાસીનતા મધુર હાલરડું છે, ઉદાસીનતા જીવનનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy