SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ ત્યાં સત્પુરુષ નિષ્ફળ જાય, કારણ કે મતાર્થી છે. તેને સત્યની બહુ ચિંતા નથી, એને મોક્ષની બહુ ચિંતા નથી. તેને સૌથી વધારે ચિંતા પોતાના મતની છે. તે સત્યને ગૌણ કરે છે અને પોતાના મતને મુખ્ય બનાવે છે. એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય તેની પાસે આવ્યું નથી તેમ નથી પણ જે જે વખતે સત્ય કહેનારા મળ્યા તે તે વખતે આ મતને મુખ્ય માનતો હતો, એ મતાર્થી હતો. અર્થ એટલે પ્રયોજન, લક્ષ, હેતુ. એને મતનો હેતુ છે, મતનું લક્ષ છે, એને મતનું પ્રયોજન છે. પોતાનો મત સિદ્ધ કરવો છે. એ જ્ઞાની પુરુષ પાસે પણ જીભાજોડી કરશે અને એમ કહેશે કે જ્ઞાની પુરુષના ચરણમાં અમે સમજવા બેઠા છીએ, પણ એ સમજવા બેઠો નથી, પણ પોતે જે માને છે તે સમજાવવા બેઠો છે અને જો સામેનો માની લે તો કહેશે માણસ સમજુ છે અને જો એ ન માને તો કહેશે કે અણસમજુ છે. સમજ અને અણસમજ સામી વ્યક્તિમાં નથી પણ સમજ અને અણસમજ પોતામાં છે. ' મતાર્થી સાધનાને પણ માને છે, પ્રક્રિયાને પણ માને છે, સાધનો પણ જાણે છે, શાસ્ત્રોને પણ જાણે છે અને જે કંઈ જાણે છે તે વિપરીત જાણે છે. મતાર્થી જે દેવ નથી તેને દેવ માને છે, જે ગુરુ નથી તેને ગુરુ માને છે અને જે શાસ્ત્ર નથી તેને શાસ્ત્ર માને છે. જે સાધન નથી તેને સાધન માને છે. જે સાધના નથી તેને સાધના માને છે. માને છે તેમ નહિ પણ હું જે કહું છું તે જ બરાબર છે, તેવો તેનો આગ્રહ છે. એક બહુ ઊંડી વાત તે એ કે તે વ્યવહારથી વીતરાગ પરમાત્માનાં માર્ગમાં, શાસનમાં પણ હોઈ શકે અને મોટો સાધક પણ હોઈ શકે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમે વ્યવહારથી વીતરાગ પરમાત્માના માર્ગમાં હોવા છતાં મતાર્થી હોઈ શકો છો, માટે મતાર્થીનો સીધો અર્થ જો કરવો હોય તો જેનામાં મિથ્યાત્વ જીવંત છે, મિથ્યાત્વની સત્તા છે એને કહેવાય મતાર્થી. જેનામાં દર્શનમોહનું સામ્રાજ્ય છે તેને કહેવાય છે મતાર્થી. જેમ મદિરાપાન કર્યું હોય અને ઘેનમાં હોય, તમે તેને ગમે તે વાત કરો, તે સમજશે નહિ, તેમ મિથ્યાત્વનાં ઘેનમાં મતાર્થી આધ્યાત્મિક વાત, સત્ય વાત સમજે નહિ અને તેથી બધું અવળું લે છે. ભગવાન મહાવીર પાસે આવતાં પહેલાં અને થોડાક કલાકો પહેલાં ગૌતમ ગણધર ઈન્દ્રભૂતિ મિથ્યાત્વી હતાં, યજ્ઞ મંડપમાં બેઠા હતા, ૫૦૦ શિષ્યો હતાં, મંત્રોનો ઉચ્ચાર કરતાં હતાં. આખા ભારતના સૌથી મોટા વિદ્વાન હતા. યજ્ઞ જેવું મહત્ત્વનું કામ કરતાં હતાં છતાં તે વખતે તેમનો નિર્ધાર અવળો હતો અને મતાર્થીપણું હતું. તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા, હજુ મળ્યાં નથી પણ જોતાની સાથે જ ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! ભલે આવ્યા.' એ શબ્દમાં આમંત્રણ હતું, આહ્વાન હતું અને પછી કહે છે કે તમને જે ગુંચવાડો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy