SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૬૩ થાય છે, તેમાં કારણ શાસ્ત્રના શબ્દો છે. તે શાસ્ત્રના શબ્દોના અર્થ તમને બેસાડતાં આવડતા. નથી માટે ગુંચવાડો થાય છે. આ ઈન્દ્રભૂતિ ભારતના તે વખતના સૌથી શ્રેષ્ઠ વિદ્વાન, સેંકડો શિષ્યોના ગુરુ, હજારો પંડિતો તેમના ચરણોમાં બેસતાં હતાં, પણ એમને આત્મા વિષે શંકા હતી કે આત્મા છે કે નહિ? અને મઝાની વાત, આત્મા છે કે નહિ તે શંકા થઈ તે માત્ર વેદમાં આવેલાં સૂત્રને કારણે થઈ, એમ કહેવા કરતાં તેમનો અવળો નિર્ધાર હતો માટે થઈ. એક વખત જીવ સવળો થઈ જાય તો પરિવર્તન થતાં વાર નહિ લાગે, સમ્યગદર્શન થતાં વાર નહિ લાગે, વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં વાર નહિ લાગે. આ જીવ અવળો છે, માટે મતાર્થી છે, એ મતાર્થી છે તેના કારણે પરિવર્તનની ઘટના ઘટતી નથી. તમે રોજ ગાવ છો કે “અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન” પણ પૂછો તો ખરા, શા માટે આથડ્યો? બન્યું શું? ઘટના શું ઘટી ? ““લે અવળો નિર્ધાર.'' તમે બધાં પરમકૃપાળુ દેવના ઉપાસક છો પણ તમારો નિર્ધાર કેવો છે તે મને ખબર નથી, પરમકૃપાળુ દેવને પણ તમે તમારો મત બનાવી શકો છો અને એ બાબતમાં તમે સત્યથી દૂર રહી શકો છો, તમે મત ન બનાવશો. પરમકૃપાળુ દેવે કહ્યું કે મત સાથે અમને કોઈ નિસ્બત નથી. અમને તો સત સાથે નિસ્બત છે. અમે જે ધરતી ઉપર આવ્યા છીએ તે સત્ય કહેવા માટે આવ્યા છીએ, મત સ્થાપિત કરવા માટે આવ્યા નથી. અમારા નામથી મત ઊભો કરશો પણ નહિ. કોઈપણ મહાપુરુષ પાછળ મત ઊભો કર્યા સિવાય આપણને ચેન પડતું નથી. આપણી પાસે આપણા મતના બીબા તૈયાર છે. જ્ઞાની પુરુષ આવ્યા નથી કે આપણા મતનાં બીબામાં ઢાળ્યા નથી અને પછી વાત કરીએ છીએ કે અમે સત્ય કહીએ છીએ અને સત્ય સમજીએ છીએ. મહાવીર ભગવાન એમને મળ્યા ત્યારે ઈન્દ્રભૂતિમાં ટર્નિંગ પોઈન્ટ પરિવર્તન બિંદુ આવ્યું. આવો ટર્નીંગ પોઈન્ટ જીવમાં આવે પણ જીવને પોતાનો નિર્ધાર સવળો કરવો પડે. સપુરુષો કહે છે, અમારા બે કામ છે પહેલું કામ મતાર્થીને મુમુક્ષુ બનાવવો. પુરુષ મળ્યા પછી તમે શું કરશો? બે હાથ જોડી તમે બેસી રહેશો, પ્રવચન સાંભળશો. ડોલવા લાગશો, આનંદ આવશે, બહુ સારું બોલે છે તેવું તમારું પ્રમાણપત્ર આપશો? સરસ કહે છે એવું પ્રમાણપત્ર આપીને કહેશો કે એ તો અમને ખબર હતી, એ તો અમે જાણતાં હતાં, પણ નવું કંઈ નથી, એમને સારું કહેતાં આવડે છે. થયું? સદ્ગુરુને ચૂક્યા ! એમની સાથે, એમની ચેતના સાથે તમારે સંબંધ નથી. બીજું કામ મુમુક્ષુને સમ્યગુદૃષ્ટિ બનાવવા, સમ્યગ્દષ્ટિને વીતરાગ બનાવવા. વીતરાગ બનશો તમે, સમ્યગદષ્ટિબનશો તમે, પુરુષાર્થ કરશો તમે, મહેનત કરશો તમે, પ્રચંડ પુરુષાર્થ પણ તમે જ કરશો. પણ સત્પુરુષ તે વખતે હાજર હશે, એમની હાજરીથી કામ થાય છે. સૂર્ય એમ નથી કહેતો કે તમે દરવાજા ઉઘાડો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy