SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ SO પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ એમાં શાસ્ત્ર સમજવા માટે એક ઊંડી અદ્ભુત ચાવી છે. આ તત્ત્વવિચાર, આ પારમાર્થિક વિચાર, આ આધ્યાત્મિક સત્યો કોણ પામી શકશે? કોણ સમજી શકશે? કોણ લક્ષ કરી શકશે? તેની સ્પષ્ટતા પણ આ ગાળામાં કરેલી છે. આધ્યાત્મિક જગતમાં બે મહત્ત્વના પાત્રો છે. એક પાત્ર મુમુક્ષુ અને એક પાત્ર મતાર્થી. હોય મુમુક્ષ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. આ ગાથામાં બહુ વેદના છે અને સ્પષ્ટતા પણ છે. જ્ઞાની પુરુષોએ, વીતરાગ પુરુષોએ જે કંઈ કહ્યું છે અને કહેશે તે કોણ સમજી શકશે? કોણ લક્ષમાં લેશે? એ સમજવા માટે તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે. માત્ર તીક્ષ્ણ બુદ્ધિ જ નહીં, અંતરની અવસ્થા પણ જોઈશે.અંતરની તે અવસ્થાને કહેવાય છે મુમુક્ષુતા. એ અંદરની અવસ્થા છે, ચેતનાની ઘટના છે, પરિવર્તનનો સંકેત છે. આપણું જીવન અહીંથી બદલાય છે. ઘટના ઘટે છે અને એક અવસ્થા પ્રાપ્ત થાય છે. મુમુક્ષતા એટલે માત્ર વૈરાગ્ય નહિ, મુમુક્ષુતા એટલે માત્ર મોક્ષની અભિલાષા નહિ, મુમુક્ષુતા એટલે માત્ર સંસારનો કંટાળો નહિ, મુમુક્ષુતા એટલે માત્ર નિર્વેદ નહિ પણ મુમુક્ષુતા એ અંદરની ચેતનાની એક અદ્ભુત અવસ્થા છે, જે અવસ્થામાં આધ્યાત્મિક સત્ય સમજાય, જે અવસ્થામાં પરમાર્થ સમજાય, જે અવસ્થામાં યથાર્થ સાધના થાય, સખ્ય આરાધના થાય. મુમુક્ષુની સામે મતાર્થી જીવ છે. મતાર્થી અધાર્મિક નથી, મતાર્થી નાસ્તિક નથી, મતાર્થી ધાર્મિક પણ હોઈ શકે અને કર્મકાંડ પણ કરી શકે છે, શાસ્ત્રજ્ઞ પણ હોઈ શકે છે, સાધુ પણ હોઈ શકે છે, આચાર્ય પણ હોઈ શકે છે. અનેક શાસ્ત્રોનો જ્ઞાતા પણ હોઈ શકે છે, હજારો શિષ્યોનો ગુરુ પણ હોઈ શકે છે. આવો હોવા છતાં તે મતાર્થી હોઈ શકે છે. મતાર્થીનું એક જ લક્ષણ, સત્યને સત્ય સમજવાને બદલે, સત્યને યથાર્થ સમજવાને બદલે, અવળું સમજે છે, અવળો નિર્ણય કરે છે. નિર્ણય કરે છે પણ અવળો નિર્ણય કરે છે. તેની ભૂલ અવળું સમજવાની છે. યથાર્થ સમજણમાં આપણને જો કોઈપણ અવરોધ આવતો હોય તો આપણી બુદ્ધિ ઓછી છે તેમ નહિ, પણ મતાર્થીપણું છે. મતનો જે અર્થી છે, મતનો જે ઉપાસક છે, મતમાં પોતાની માન્યતામાં જે અટવાયેલ છે, તેનો જ આગ્રહી છે, એનો જે કદાગ્રહી છે, એનો જ દુરાગ્રહી છે તે સત્યને સમજતો નથી અને ઘણી વખત સત્ય તેની સામે સ્પષ્ટ થાય છે, પણ મતાર્થી અવસ્થા હોવાના કારણે એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય જાણું નથી કે સત્ય સાંભળ્યું નથી તેમ નહીં પણ મતાર્થી હોવાના કારણે એને સત્યનો સ્વીકાર નથી. - સાધક જીવનું વિભાજન બે વિભાગમાં કરવામાં આવ્યું. એક મતાર્થી અને એક મુમુક્ષુ. આ બંને પાત્રો ઉપર કામ થઈ શકે છે, પણ મતાર્થી પાત્ર ઉપર કામ થવું ઘણું મુશ્કેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy