SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૯ પ્રવચન ક્રમાંક - ૭ ગાથા ક્રમાંક - ૬ વૈરાગ્યાદિ સફળ ક્યારે થાય ? વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. (૬) ટીકાઃ વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૬) આ પ્રવચનો કે વ્યાખ્યાન નથી, પણ ગંભીર અને અટલ સાગરમાં ડૂબકી મારવાની છે. આ ડૂબકી સૌએ સાથે જ મારવી પડશે અને એ માટે આપણી પાસે શાંત અને સ્વસ્થ મન જોઈશે, ધીરજ જોઈશે, જાગૃતિ જોઈશે, તીક્ષ્ણ પ્રજ્ઞા જોઈશે અને ઊંડી સમજણ માટે ક્ષમતા પણ જોઈશે. સામાન્ય રીતે કથા વાર્તા અને સામાન્ય સાધનાની વાત કરતાં કંઈક જુદી જ વાત, અભુત વાત, અપૂર્વ વાત, પરમકૃપાળુ દેવે કરી છે. ગાથા ૪૨ માં “ઉપજે તે સુવિચારણા' આ કડી આવે છે. ત્યાં સુધીની ૪૨ ગાથાઓ જો બરાબર સમજાઈ જાય તો આગળની ૧૦૦ગાથાઓ સમજવામાં સુગમતા થશે. તમામ મર્મો, તમામ ગૂઢ રહસ્યો આ ૪૨ ગાથામાં છે. આ પાયો છે. આમાં સુવિચારણા છે. તત્ત્વ વિચારણા છે, દ્રવ્ય ગુણ પર્યાયની વિચારણા છે, અધ્યાત્મિક વિચારણા છે અને જીવનના ઊંડા રહસ્યોની વિચારણા છે. બીજી વાત સમગ્ર સાધનાની પ્રક્રિયાઓ આ ૪૨ ગાથામાં છે, તે બરાબર સમજાઈ જાય તો સાધના કઈ અને કેવી રીતે કરવી એ કોઈને પણ આપણે પૂછવું નહિ પડે. એવી અદ્ભુત વ્યવસ્થા આ ગાથાઓમાં છે અને ગંભીર રહસ્યો પણ છે. સાધનાનો નિષ્કર્ષ આમાં છે અને અધ્યાત્મ શાસ્ત્રના તમામ સિદ્ધાંતો આ ૧૪૨ ગાથાઓમાં સમાઈ જાય છે. ચર્ચાનો પ્રારંભ કરતાં પહેલાં એક ચેતવણી પરમકૃપાળુ દેવે ૨૨મી ગાથામાં આપી છે. એ ગાથાને પહેલાં જોઈએ છીએ, કેમકે તેનાથી આપણી ભૂમિકા પહેલા તૈયાર થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy