SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભગવંતે આ શ્લોકમાં વર્ણવ્યા છે. अक्रोधवैराग्यजितेन्द्रियत्वं, क्षमादयासर्वजनप्रियत्वम् । निर्लोभदाता भयशोकहर्ता, ज्ञानं प्रतिलाभं च दश लक्षणानि ॥ (૧) જ્ઞાની તો તે છે જેની અક્રોધ અવસ્થા છે. ક્રોધ નહિ પણ અક્રોધ. ક્રોધ એટલે તિરસ્કાર, નફરત, ધૃણા, અણગમો, આવેગ, આવેશ. જેનામાં ક્રોધ નથી, ઈમોશન નથી, આવેશ કે અણગમો નથી, ધૃણા નથી કોઈના પ્રત્યે નફરત નથી, પણ જેના અંતરમાં પ્રેમનો સાગર છલકે છે, તેને કહેવાય છે જ્ઞાની. ઈશાવાસ્ય ઉપનિષદમાં શિષ્ય પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ ! ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો શું ખબર પડે?” ગુરુએ કહ્યું, “ખબર નહિ પડે, પણ એક લક્ષણ છે, “તતો ન વિષ્ણુગુપ્ત’ જેને ઈશ્વરના દર્શન થયા છે, તે ધરતી ઉપર જગતમાં કોઈની પણ ધૃણા, તિરસ્કાર કરતો નથી. એક વખત મઝાની વાત થઈ, ઈસુ ક્રાઈસ્ટ પાછા આવ્યા અને અમેરિકા ગયા. અમેરિકાના પ્રમુખને મળ્યા, ને તેમને કહ્યું કે “હું ઈસુ ક્રાઈસ્ટ છું, તમો જે માગો તે આપીશ.” અમેરિકાના પ્રમુખે કહ્યું “આ જગતના નકશામાંથી રશિયા નાબૂદ થઈ જાય તેમ કરો.” “સારું કહી' પછી તેઓ રશિયા ગયા ત્યારે સ્ટાલીન હતો. તેમને પણ કહ્યું કે “કંઈક માગો.' તે કહે “અમે નથી માનતા કે આપ ક્રાઈસ્ટ છો પણ તમે કહો જ છો ને આપવા તૈયાર છો તો અમારી માગણી છે કે જગતના નકશામાંથી અમેરિકા નાબૂદ થઈ જાય.” પછી ફરતાં ફરતાં બ્રિટનમાં આવ્યાં ત્યાં પણ માંગવાની વાત કરી. બ્રિટીશરો બહુ ડાહ્યા હોય છે. તેઓ કહે કે, “તમે ક્યાં ક્યાં જઈ આવ્યાં ને તેઓએ શું માંગ્યું? તેમણે કહ્યું “રશિયા જઈ આવ્યો, તેમણે અમેરિકા નાબૂદ કરવાનું કહ્યું કે, અમેરિકા જઈ આવ્યો. તેમણે રશિયા નાબૂદ કરવાનું કહ્યું.' બ્રિટિશરો કહે, “સાહેબ ! અમારે કંઈ માંગવું નથી એ બન્નેએ જે માગ્યું છે તેની માંગણી પૂરી થઈ જાય.” આ ધૃણા. એક બીજાનું અસ્તિત્વ સહન ન કરી શકાય તેવી અવસ્થાને કહેવાય છે ધૃણા અને ધૃણા જેના પ્રત્યે હોય તે સામેથી ચાલ્યો આવતો હોય તો રસ્તો બદલી નાખે. સાથેવાળા ભાઈને કહેશે “મારે એમનું મોઢું જોવું ન પડે.' પ્રાણી માત્ર પ્રત્યે જેના અંતરમાં પ્રેમ છે તે જ્ઞાની. (૨) વૈરાગ્ય-જગતના બધા પદાર્થો અનિત્ય છે, નાશવંત અને ક્ષણભંગુર છે, એવી સમજણ આવતાં એમના પ્રત્યેની આસક્તિ છૂટી જવી તેને કહેવાય છે વૈરાગ્ય, વારેવારે બોલ્યા ન કરશો કે “જગત નાશવંત છે, સંસાર અસાર છે, સંસારમાં કોઈ કોઈનું નથી, એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે.” આવા મરસિયા ન ગાશો. તેના કરતાં આસક્તિ કાઢી નાખો. આસક્તિ રાખવી છે અને મરસિયા ગાવા છે. અરે ! વૈરાગી તો મસ્તીથી જીવે. વૈરાગ્ય કંટાળો થોડો છે! વૈરાગ્ય તો આનંદ છે. છોડ ઉપર ગુલાબનું ફૂલ ખીલ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy