SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ રાસ થઇ વિરક્ત સંસારથી સહુ જીવ ખામણા મ્હારા લાલ, મન એકાગ્રે પંચ પરમેષ્ઠી સુમરણા મ્હારા લાલ; પથ સાધ્યો પરલોકનો ધનપતિ વાણીઇં મ્હારા લાલ, મરણ લહ્યો ઇમ ઉત્તમ શ્રાવક જાણીð મ્હારા લાલ. નિજ ભરતાર વિજોગ શોક હવે લખ્યમી પણીં ઘરવાસ બિહામણો ચિત્ત ધરે મ્હારા લાલ; બહુ સંવેગ વિષય વિમુખી તે નિત્ય રહે મ્હારા લાલ, તપથી વિશેષે સોષવી કાય મરણ લહે મ્હારા લાલ. બહુ કરે મ્હારા લાલ, માત-પિતાના મરણથી, શોક કરે ઘણો મ્હારા લાલ, નવિ સુખ પામે કીહી ઠામ ચિત્ત દોયતણો મ્હારા લાલ; તજીયો સકલ વ્યાપાર હવે ઇણે અવસરે મ્હારા લાલ, શ્રી મુનિચંદ મુણિંદ કે આવ્યા પુર પરિસરે મ્હારા લાલ. તિણે ઉપદેશ કર્યો ઇમ ‘ભો! ભો! કિમ કરો મ્હારા લાલ, એવડો શોકસંભાર? ધરો ચિત્તમાં ખરો મ્હારા લાલ; નવિ સંસાર સ્વરૂપ નિરુપણ ચિત્ત કરો મ્હારા લાલ, ચર-થીર સકલ સંસારમાં સર્વને જમ હરો મ્હારા લાલ. ૧. શોક નો સમુદાય=ઘણો શોક. નિત્ય પંથી એ પ્રાણ શરીર એ ચલ અછેં મ્હારા લાલ, જોવન ચપલ, મરણ ધ્રુવ, અનુક્રમે સવી ગઇે મ્હારા લાલ; એક જિનેશ્વર ભાષિત શરણ તે ધર્મ છે મ્હારા લાલ, તેહ આધાર ગતિ સ્થિત અવર અધર્મ છે’ મ્હારા લાલ. Jain Education International For Personal & Private Use Only ૭ ૧૦ ૧૧ ૧૨ 75 www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy