________________
મદન-ધનદેવ થા
‘સ્વામીનાથ! કુશલ-ક્ષેમ તો છે ને?’ હા, પૂર્વના પુન્યોદયે હજુ સુધી તો સારું છે.’
ધનદેવે પણ વ્યંગ્ય ઉત્તર વાળ્યો,
મોટી પત્નીએ વાત ફેરવવા વચ્ચે જ
પૂછ્યું.
‘શ્રીમતી! તને કેમ છે?’
‘મનગમતો ભરથાર અને સાથે સંપત્તિની રેલમછેલ પછી તો પૂછવું જ શું?’ થોડી ઔપચારિક વાતો પછી મોટી પત્નીએ ઈશારો કર્યો. એટલે તરત જ નાની પગપખાળવા માટે પાણી લઈ આવી. અને ખૂબ ભક્તિપૂર્વક પગપખાળવાનો લાભ પણ લીધો. મોટીએ ચરણપ્રક્ષાલનનું પવિત્રજળ માથે ચડાવવા ઇચ્છતી હોય તેવો ડોળ કરી થોડું પાણી હાથમાં લઈ મંત્ર બોલી જમીન પર જોરથી છાંટ્યું. મંત્રના પ્રભાવથી પાણી સમુદ્રની ભરતીની જેમ વધવા લાગ્યું.
ધનદેવ ગભરાયો એણે શ્રીમતીની સામે જોયું. શ્રીમતીએ ‘જરાય ડરવાની જરૂર નથી.’ એમ કહી આશ્વાસન આપ્યું.
પાણી તો વધતું જ ગયું, વધતુ જ ગયું. ધીમે-ધીમે પાણી તો પગની ઘુંટી
Jain Education International
47
જેટલું થયું. પછી ઘુંટણ ડુબ્યા, ત્યાર પછી સાથળો ડુબી, નાભી જેટલું પાણી ઉપર આવી ગયું. અને થોડીવારમાં તો પાણી છેક નાસિકા સુધી આવી ગયું.
ધનદેવે અતિ ખેદપૂર્વક શ્રીમતીને કહ્યું.
‘પ્રિયે! હવે શું થશે? પાણી તો વધતું જ જાય છે.’
‘સ્વામી! તમે ડરો નહીં, જુઓ હવે મારો ચમત્કાર.’
એમ કહી શ્રીમતી એક ઘુંટડે એ બધું જ પાણી પી ગઈ એણે પાણી એવી રીતે પીધું કે આખા ઓરડામાં પાણીનું એક બુંદ પણ ન મળે.
શ્રીમતીનું આવું અદ્ભુત સામર્થ્ય જોઈ ધનદેવની બન્ને પત્નીઓ તેના પગમાં પી.
ખરેખર! તમારી શક્તિ અદ્ભુત છે. તમે વિદ્યાના ભંડાર છો. આજથી તમે અમારી સ્વામિની અને અમે તમારી દાસી.’
શ્રીમતીએ પણ બન્ને સાથે સખીપણું સ્વીકાર્યું, પછી તો રોજ-રોજ ઘરના બધા જ કામ ત્રણે સાથે મળીને કરવા લાગી, શ્રીમતી પણ તે બન્નેની સંગતે સ્વેચ્છાચારિણી બનતી ગઈ.
For Personal & Private Use Only
www.jainelibrary.org