________________
46
‘હે પ્રિયતમ! પુરુષો ત્રણ જાતિના હોય પોતાના ગુણોથી વિખ્યાત થાય તે ઉત્તમ, પિતાના ગુણોથી પ્રખ્યાતિ પામે તે મધ્યમ અને સસરાના નામે જેનું નામ ગવાય તે જઘન્ય. આપ તો સર્વ કલા અને ગુણોની ખાણ જેવા છો. દ્રવ્ય ઉપાર્જન કરવામાં પણ સમર્થ છો. છતાં લોકો તમને ‘‘શ્રીપુંજ શેઠના જમાઈ” તરીકે ઓળખે છે. એ મને શલ્યની જેમ ખૂંચે છે.’
ધનદેવ શ્રીમતીના ભાવો બરાબર સમજતો જ હતો પણ ઘરે જતા પેલી સ્ત્રીઓથી ગભરાતો હતો.
પ્રિયે! તારી બધી જ ઈચ્છાઓને હું સમજું છું. સસરાના ઘરે રહેનારની હાલત હું અનુભવું છું. પણ મને હજુ પેલા ‘છમકા’ યાદ આવે છે ને હું ધ્રુજી ઉઠું છું’ આટલું બોલતા તો ધનદેવ રીતસર ધ્રુજવા લાગ્યો.
‘છમકા?.. કેવા છમકાં?'... શ્રીમતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ધનદેવે બન્ને પત્નીઓનો ભયંકર વૃત્તાંત વ્યથિત હૈયે શ્રીમતીને કહી સંભળાવ્યો.
સાંભળીને શ્રીમતી હસવા લાગી.
‘અરે સ્વામી! આટલી એવી વાતમાં તમે આટલા બધા ગભરાતા હતા? મને
Jain Education International
મદન-ધનદેવ થા
દેખાડોને તમારી એ પત્નીઓ, હુંએ જોઉં છું- એમની શક્તિ કેવી છે? આપ કોઈ ચિંતા કરતા નહીં. હવે તો તમારી પત્નીઓને મળવાની મને ખૂબ ઉત્કંઠા જાગી છે.'
શ્રીમતીના જવાબથી ધનદેવ તો આશ્ચર્યમુગ્ધ બની ગયો. અને શ્રીમતી પર વિશ્વાસ મૂકી હસંતીપુરી જવા નીકળ્યો, થોડા દિવસોમાં તો હસંતીપુર આવી પણ ગયું.
રાજશાહી ઠાઠથી એ નગરમાં પ્રવેશ્યો. દીન-અનાથ ગરીબ લોકોને દાન આપતો – આપતો ધનદેવ ગૃહાંગણે આવી ઊભો.
અચાનક આવી ગયેલા ધનદેવને જોઈ બન્ને પત્નીઓ વિસ્મય પામી.
આ પોપટમાંથી ફરી માનવ કેવી રીતે બની ગયો?’
વધુ વિચારવાનો સમય હતો જ નહીં, બન્નેએ ઈશારાથી ટૂંકમાં જ વાતચીત કરી લીધી અને ધનદેવનો ખૂબ આદર-સત્કાર કરવા લાગી.
બન્ને હૃદયમાં આજે હરખ-આનંદ મા’તો ન હોય તેમ ધનદેવ અને શ્રીમતીને ખૂબ માનપૂર્વક હાથ પકડી ચિત્રશાલામાં લઈ આવી, અત્યંત ભક્તિપૂર્વક નાની પત્નીએ બન્નેને સિંહાસનપર બેસાડ્યા.
For Personal & Private Use Only
www.jainelibrary.org