________________
મદન-ધનદેવ શા
મદન વિદ્યુત્સતા સાથે સુખપૂર્વક રહે છે, વિદ્યુત્સતા પણ મદનનો ખૂબ વિનય કરે છે. બન્નેને એકબીજા પ્રત્યે અત્યંત રાગ છે. મહિનાઓ દિવસોની જેમ પસાર થતા જાય છે.
એક વખત વર્ષાઋતુનો સમય હતો. મદન ઝરૂખામાં બેઠો હતો, સામેની હવેલીમાં કોઈ સ્ત્રી પતિના વિરહમાં રડી રહી હતી. વર્ષાઋતુને કારણે તેને કામજ્વર પીડતો હતો.
આ દૃશ્ય જોઈ મદનના હૃદયમાં ચંડા અને પ્રચંડાના સ્મરણના ઝરણા ફૂટ્યા.
‘એ બન્ને ગમે તેવી હતી. પણ મારા વિરહમાં કેટલી દુઃખી થતી હશે?’ મદનની આંખમાં આંસુ આવી ગયા.
એટલી જ વારમાં વિદ્યુત્સતા ત્યાં આવી પહોંચી પતિની આંખમાં રહેલી વેદના એણે પારખી લીધી.
‘સ્વામિન્! આજે આપની આંખોમાં
આંસુ?’
‘શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?’
‘અથવા તો પિતાજીએ કે ભાભીઓએ કાંઈ કહ્યું છે?’
કે પછી શારીરિક કોઈ પીડા છે?’
Jain Education International
31
‘ના પ્રિયે! એવું કોઈ કારણ નથી.’ મદને ઉત્તરીયથી પોતાની આંખો લુંછી નાખી.
‘કોઈ કારણ તો છે જ, નહીં તો આમ ઉદાસ બનીને શા માટે બેઠા છો?’ ‘એવી કોઈ મહત્ત્વની વાત નથી.’ ના, આજે તો આપે જણાવવુ જ પડશે? હું બની શકશે તેટલી સહાય જરૂર કરીશ.’
વિદ્યુત્સતાના અતિશય આગ્રહને વશ થઈને મદને પોતાનું હૃદય ખુલ્લુ મૂકી દીધું.
‘પ્રિયે! વર્ષાઋતુ છે. આ ઋતુમાં કામપીડા આકરી હોય છે. જો, પેલી સામે વિરહિણી રડી રહી છે. એને જોઈને મને ચંડા-પ્રચંડા યાદ આવી ગઈ.’
‘અરે! એમાં તો શું થઈ ગયું? એમને ભૂલવવા માટે હું તો છુ જ ને આપની સાથે!’
‘વિદ્યુત્સતા! તું તો મારી સાથે જ છે. પરંતુ, હું તો તેઓથી દૂર છુ ને? શું થતું હશે એ બન્નેનું? ગમે તેવી હતી તો પણ મારી પત્ની હતી. મારે એકવાર તો તેઓને મળી લેવું જોઈએ.’
મદનના આ વચનોએ વિદ્યુત્પતાના ચિત્તને ખળભળાવી નાખ્યું. ‘હું આમની
For Personal & Private Use Only
www.jainelibrary.org