________________
મદન-ધનદેવ થા
અને ચંડાના આક્રોશે આક્રમણનું રૂપ ધારણ કર્યું. હાથમાં રહેલું મુશલ સીધું છૂટું ફેંક્યું મદનપર. મદન તો ગભરાઈને મુઠ્ઠીવાળીને ત્યાંથી ભાગ્યો.
પતિને આમ હાફતો-ફાંફતો આવેલો જોઈ પ્રચંડાએ પૂછ્યું ‘શું થયું સ્વામીનાથ?’ આટલા બધા કેમ ડરી ગયા છો?’
ન જાણે આ રાક્ષસણી શું કરશે?’
થોડે દૂર ભાગ્યા પછી પાછળ જોયું તો મુશળે ભયંકર સર્પનું રૂપ ધારણ કર્યું સર્પ દૂર થવાથી મદનને હૈયે ટાઢક વળી,
આંખો ફાડીને મદન જોઈ જ રહ્યો,
પણ સાથો-સાથ માનસપટ પર નવો ભય ઉપસ્યો.
હતું અને ફૂંફાડા મારતો મદનને ડસવા આવી રહ્યો હતો. મદનનો તો જીવ પડીકે બંધાયો, બધી શક્તિ ભેગી કરી દોડ્યો. સર્પ પણ તીવ્ર વેગે તેની પાછળ દોડ્યો, માર્ગમાં સર્પને અત્યંત નજીક આવેલો જોઈને મદને પોતાનું ઉત્તરીય તેના પર નાખ્યું. સર્પ તેમાં થોડીવાર ફસાયો. મદન તો દોડાય એટલું દોડીને પહોંચ્યો સીધો પ્રચંડાના ઘરે.
‘તું જલ્દી દરવાજા બંધ કર, ચંડાએ મને મારવા મુશળ ફેંક્યું અને એ સર્પ બની મારી પાછળ પડ્યું છે.’
ત્યાં તો સર્પ બારણા પાસે આવી ગયો. મદનના તો શ્વાસ અદ્ધર થઈ ગયા. પણ પ્રચંડાએ મદનને એકદમ સ્વસ્થતાથી
Jain Education International
29
આશ્વાસિત કર્યો. શરીરનો મેલ ઉતારી એની ગોળીઓ બનાવી. સાપ પર ફેંકી, તરત એ ગોળીમાંથી નોળીયા ઉત્પન્ન થયા, એ નોળીયાઓએ સાપના ટુકડેટુકડા કરી નાખ્યા. અને થોડીવારમાં તો નોળીયા પણ અદૃશ્ય થઈ ગયા.
ચંડાના પ્રકોપમાંથી પ્રચંડાએ મને બચાવ્યો. પણ ભાગ્યયોગે પ્રચંડા કોપિત થશે તો મારું શું થશે?
‘મને પ્રચંડાના પ્રકોપથી બચાવી લે એવું કોઈ નથી, માટે હવે તો પ્રચંડાને પણ છોડીને અહીંથી ક્યાંય દૂર ભાગી જવુ જ શ્રેષ્ઠ છે.’
આવો વિચાર કરી બધી જ યોજના બનાવી રાત્રે પ્રચંડાને એકલી મૂકી ત્યાંથી નીકળી ગયો.
જેટલું ચાલી શકાય તેટલું રાત્રે જ ચાલી જવા પ્રયત્ન કર્યો. થોડા દિવસોની મુસાફરી બાદ કોઈ અગમ્ય સ્થળે પહોંચી ગયો. નજીકમાં જ કોઈ ગામ હોવાનો અણસાર આવતો હતો એટલે ‘અહીં જ
For Personal & Private Use Only
www.jainelibrary.org