________________
પ્રાસ્તાવિક્ષ્
થઈ ગયો! શું કરું?’’ આમ વિચારી દુઃખી થયેલો તે ડરને કારણે જ્યાં ઉડવા જાય છે. ત્યાં જ તેને પકડીને પેલી દુષ્ટ સ્ત્રી બોલી- રે! તાવનું કપટ કરીને અમારું ચરિત્ર જુવે છે? તારા જેવાઓને અમારું ચરિત્ર ગમ્ય નથી હોતું, હવે તારા કપટનું ફળ તું જ ભોગવ!'’ પછી તેને પિંજરમાં નાખ્યો. મુનિસુંદરસૂરિજીએ કરેલા વિકાસે કથાઘટકમાં રોચકતા ઊભી કરી છે. ઉડવા જતા પોપટને પકડીને પેલી સ્ત્રી બોલે છે ત્યારે પદ્મવિજયજીએ સ્ત્રીચરિત્રની
ધનદેવની પત્નીઓ દોરો મંત્રિત કરીને ધનદેવના પગમાં બાંધે છે. ત્યારે
મુનિસુંદરસૂરિજી તે દોરો મંત્રિત કરતા કુટિલતા સાંગોપાંગ વર્ણવીને કથા ઘટકને
કરતા સાત ગાંઠ દેવાની વાત કરે છે.
વધુ રોચક બનાવ્યો છે.
16
જ
હોય તો કોઈ પણ રીતે એ સ્ત્રીઓનો ત્યાગ તો કરવો જ પડશે પણ સ્ત્રી વિના અતિથિસત્કાર આદિ કાર્યો તો કઈ રીતે થઈ શકે? અને સ્ત્રી વિનાનો પુરુષ વિટ કહેવાય. એક તો આ કન્યા આટલી રૂપવાન છે. તેના પિતા સામેથી પ્રાર્થના કરે છે તો આ તક જતી કરવા જેવી નથી.’ આવું વિચારીને ધનદેવે શેઠની પ્રાર્થના સ્વીકારી.
પગમાં મંત્રિત દોરો બાંધવાથી ધનદેવ પોપટ(શુક) બની ગયો. અને તેને પિંજરમાં નાખ્યો.' સોમપ્રભસૂરિજીના આટલા કથા-ઘટકનો મુનિસુંદરસૂરિજીએ વિસ્તાર કર્યો કે- ‘પત્નીના હાથનો સ્પર્શ થવાથી જ્યાં ધનદેવ જાગ્યો ત્યાં તે પોતાને પોપટ રૂપે જુવે છે. અને સામે ઊભેલી બે પત્નીઓને જુએ છે. ત્યારે વિચારે છે કે ‘હું લગ્નનાં કંકણ છોડવાનું ભૂલી ગયો હતો. નક્કી તે કંકણ જોઈને આમને શંકા થઈ છે અને રાત્રિનો વૃત્તાંત જાણીને મને પોપટ બનાવી દીધો છે, ધિક્કાર છે મને કે હું મનુષ્યપણું હારી ગયો, હવે તો પશુ
Jain Education International
પોપટના પગમાં રહેલો દોરો મલિન થઈ જવાથી શ્રીમતી એ દોરો તોડી નાખે છે.’ એવું સોમપ્રભસૂરિજી ટાંકે છે. જ્યારે મુનિસુંદરસૂરિજી કહે છે કે- રમતા-રમતા શ્રીમતીને એક દિવસ પોપટના પગમાં અચાનક જ દોરો દેખાયો અને વિસ્મય થવાથી દોરો તોડ્યો.’ અહીં સોમપ્રભસૂરિજીની વાત યોગ્ય લાગે કારણ કે પોપટ સાથે શ્રીમતી ઘણા દિવસથી રમતી હતી. માટે દોરો ન દેખાયો હોય એ બની શકે એવું લાગતું નથી. પરંતુ ઘણા દિવસો થવાથી દોરો મલિન થઈ ગયો એ વાત વાસ્તવિક લાગે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org