________________
કથા ઘઢ્યોનો વિકાસ
સ્વેચ્છાચારિણી બે પત્નીઓનું ચરિત્ર જોવા માટે ધનદેવ રાત્રે તેમની પાછળ જાય છે. તે બન્ને સ્ત્રીઓ આંબા (આમ્રવૃક્ષ) પર ચઢે છે. ધનદેવ પણ પાછળથી તે આંબા પાસે આવે છે. ત્યારે સોમપ્રભસૂરિજી કહે છે કે – ‘ધનદેવે ઉત્તરીય વસ્ત્રથી પોતાનું શરીર થડ સાથે બાંધ્યું. અને ત્યાં રહ્યો.’ જ્યારે મુનિસુંદરસૂરિજી કહે છે- ધનદેવ વસ્ત્રથી પોતાનું શરીર બાંધીને વૃક્ષની કોટરમાં બેસે છે.’ જ્યારે પદ્મવિજયજી એવું કહે છે કે‘આછા વસ્ત્રથી શરીર બાંધીને ધનદેવ પૃથ્વી પર બેઠો.’ અહીં ત્રણે પ્રરૂપણમાં પ્રશ્ન થાય
છે. (૧) ધનદેવ થડ સાથે બંધાઈને રહ્યો...
તો ઉપર રહેલી સ્ત્રીઓ શું જોઈ ન જાય? (૨) જો ધનદેવ વૃક્ષની કોટરમાં રહ્યો તો વસ્ત્રથી શરીર બાંધવાની આવશ્યકતા શું હશે? (૩) ધનદેવ પોતાનું શરીર બાંધીને પૃથ્વી પર બેઠો હોય તો શું ઉપર રહેલી સ્ત્રીઓ તેને જુએ નહીં? અને આંબા સાથે ત્યાંની પૃથ્વી પણ ઉડવા લાગી?
સાર્થવાહ વસુદત્તનો પુત્ર શ્રીપુંજશેઠની પુત્રી શ્રીમતીને પરણવા આવે છે. ત્યારે સ્થંભ પડવાથી વસુદત્તના પુત્રનું આકસ્મિક મરણ થઈ જાય છે. ત્યારે શ્રીપુંજ શેઠ ‘મારી દિકરીનું શું થશે?’ એમ વિચારીને વિલાપ કરે છે. ત્યારે તેના સ્વજનો સમાધાન આપે
Jain Education International
કે
છે કે ‘આજે જ કોઈ બીજા સાથે પરણાવી દો.' અહીં મુનિસુંદરસૂરિજી શ્રીપુંજ શેઠના વિલાપમાં એવો વિચાર ઉમેરે છે જો મારી દિકરી આજ નહીં પરણે તો એ લોકમાં અભાગણી તરીકે પંકાશે. અને કલંકિત કન્યાને કોઈ પરણશે નહીં.’ ત્યારબાદ સ્વજનો આજે જ કોઈ બીજા સાથે પરણાવી દો.’ની વાત કરે છે. અહીં શ્રીપુંજ શેઠના વિચારનો થોડો વિસ્તાર કરીને મુનિસુંદરસૂરિજીએ સ્વજનોએ આપેલા સમાધાનને સબળ બનાવ્યું છે.
-
15
શ્રેષ્ઠ રૂપવાન જોઈને શ્રીપુંજ શેઠના ઘરે લઈ ‘શ્રીપુંજ શેઠના માણસો ધનદેવને
આવે છે. ત્યાં તેને સ્નાન-વિલેપન કરાવીને બહુમૂલ્ય વસ્ત્રાદિ પહેરાવીને શ્રીમતી સાથે લગ્ન કરાવે છે.' સોમપ્રભસૂરિજીના આ કથા-ઘટકને તર્કયુક્ત અને રસયુક્ત બનાવવા મુનિસુંદરસૂરિજીએ શ્રીપુંજ શેઠ અને ધનદેવ વચ્ચે વાર્તાલાપ અને ધનદેવની મનોવિચારણા દર્શાવી છે. માણસો ધનદેવને શ્રીપુંજશેઠ પાસે લાવે છે. ત્યારે શેઠ ધનદેવને પોતાની પુત્રી જેવો જ રૂપવાન અને ગુણવાન જોઈને તેની સામે લગ્નની પ્રાર્થના કરે છે. ધનદેવ વિચારે છે. પૂર્વ પત્નીઓનું ચરિત્ર તો આજે મેં જોઈ લીધું. પોતાનું ક્ષેમ કુશલ ઈચ્છવું
For Personal & Private Use Only
www.jainelibrary.org