SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિમ્ મૂકેલ “મણિ' શબ્દ શ્રેષ્ઠતા વાચક છે. છતાં અહીં વિદ્યાધર-મણિ એવો ઉપમાન ઉત્તર પદ સમાસ કરીને કવિશ્રીએ વિદ્યાધરોની શ્રેષ્ઠતા અને વિજળી જેવી પ્રકાશિતતા બન્ને પ્રકાશિત કરી છે. આ પ્રસ્તુત રાસમાં રસવર્ણન પણ રસાળ રીતે થયેલું છે. રાક્ષસી જેવી ત્રણ-ત્રણ સ્ત્રીઓથી નિર્વેદ પામીને મદન ઘર છોડીને ચાલ્યો ગયો છે. ફરતા-ફરતા હસતી નગરીની બહાર આવે છે. ત્યાં ઉદ્યાનમાં એક ચૈત્ય જોઈને અંદર જાય છે. સર્વાંગસુંદર શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરીને આનંદિત થઈ જાય છે અને પ્રભુની સ્તવના કરે છે. મદન દેઉલમાં પેઠો હરખે, ઋષભ જિસેસર દીઠા; જન્મ-મરણ ટાળે ભવિજનના, મનમાં લાગે મીઠા રે. જિનવર નિરખી લાલ, હિયડે હરખ ધરીને; જિનગુણ પરખી લાલ, નરભવ સફળ કરીએ. ભવસાયરમાં ભમતા જનને, આલંબન જિનરાયા; દેવનો દેવ સુરાસુરવંદિત, પૂરવ પુણ્ય પાયા. હાથે નહીં હથિયાર ને માલા, નહીં ઉચ્છંગે વામા; અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામા. એક સરૂપ ન જગમાં દીસે, સફળ થયો અવતાર; નયણ કૃતારથ માહરા હુઆ, ધન હું જગ શિરદાર. ભવસાગરનો પાર હું પામ્યો, દુરલભ જિનપદ પામી; ભવખયકારણ ભવદુઃખવારણ, હવે થયો શીવગતિ ગામી. ૬/૮ અહીં થયેલું ભક્તિ શૃંગારનું ભારોભાર નિરૂપણ પ્રભુ દર્શનથી પ્રગટેલા મદનના આનંદને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. રાણી રત્નમાલાના મૃત્યુ સમયે વિદ્યાધર ચક્રવર્તી મહેન્દ્રસિંહનો કરૂણરસસભર વિલાપ હૈયું પીગળાવી દે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy