________________
[૮૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય શ્રી તીર્થકર પ્રભુ ઉત્કૃષ્ટ પુરૂષ છે, તે સાચા પુરૂષ છે. સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, તે વાત જીવથી ક્યારે મનાય છે? કે જ્યારે તે પુરુષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા આવે ત્યારે, અને તેમ થતાં શું થાય? તે કહે છે કે જીવના આત્મામાં પરિણામરૂપ પ્રતીતિ આવે, મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાની રુચિ થાય, ત્યાર પછીનું પરિણામ શું આવે? તે કહે છે કે તે સપુરૂષના આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય આવે અર્થાત્ પ્રેમ, શ્રદ્ધા ને અર્પણતા (આજ્ઞારાધન) એ ત્રણે ઉત્તમ ગુણો આવે, વિકસે અને ખીલે અને પછી આજ્ઞાનું આરાધન કરવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગદશા થાય.
એ ત્રણેયના એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના શુદ્ધ આરાધક અને સ્વાત્માની શુદ્ધ અનુભૂતિ કરનાર પુરૂષના પવિત્ર મુખકમળમાંથી કેવાં અનુપમ બોધ વચને નીકળે છે તે જોઈએ. “અહ, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણ ભૂત; છેલે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ વરૂપમાં સ્થિતિ કરાવનાર : ત્રિકાળ જયવંત વર્તા”
(૮૭પ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org