SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાગ નું રહસ્ય [ ૮૯ ] (આ વચના પરનું વિવેચન આગળ કરવામાં આવશે.) આ બેલમાં ગર્ભિતપણે શ્રદ્ધા અને આજ્ઞારાધન અથવા અપણતા રહ્યાં છે તે બતાવાઈ ગયું છે. વળી આજ્ઞાના આરા ધન વિના મેાક્ષ નથી તે પણ કહેવાયું છે, આગળ આગળની દશામાં આરાધનનું સ્વરૂપ સ્થૂળતાથી સૂક્ષ્મતા પ્રત્યે અને સૂકમતાથી અતિસૂક્ષ્મતા પ્રત્યે જાય છે, તે એટલે સુધી કે મુમુક્ષુતામાં પ્રવેશી ચૂકેલા અને સત્પુરૂષ કે જ્ઞાનીપુરૂષના આશ્રય કર્યાં હેાય તેવા સુયેાગ્ય જીવને આશકા થવા યાગ્ય છે કે સાધકને દીઘČશકા કે લઘુશંકા જેવી અલ્પ ક્રિયામાં શ્રીગુરુની આજ્ઞા લેવારૂપ માની સંકડાશ શા માટે રાખવામાં આવી હશે ? તેના સમાધાન માટે પરમ કૃપાળુ દેવનાં જ બચના ટાંકીએ છીએ, જેથી તે આશકા શંકા રહિત થઈ જાય. સતત્ અંતર્મુખ ઉપયેાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયાગ બહિર્મુખ કરવેા નહીં એ નિગ્રંથના મુખ્ય માગ છે; પણ તે સયમાથે દેહાર્દિ સાધન છે, તેના નિર્વાહના અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ચેોગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ અહિ ખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતમુ ખ ઉપયોગ પ્રત્યે રહ્યાં કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયાગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે અને નિ`ળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયાગ સાતમે ગુણસ્થાનકે હાય છે. 66 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy