SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪] નિર્વાણમાર્ગનું રહસ્ય આટલી બધી સત્પરૂષની સમર્થતા જે મુમુક્ષુના અંતરમાં સમજાઈ હોય છે, તે તે અવશ્ય તેઓએ સમ્મત કરેલું સર્વસંમત કરે જ. તેમ છતાં જેની દશા તેટલે અંશે ન પહોંચી હોય, તેને માટે આ ઉપકારી બોલ કહ્યો છે તથા પહોંચી હોય તેને માટે દઢતા અર્થે આ બેલની આવશ્યકતા છે જ; કેમ કે જીવ સ્વભાવથી શિથિલતા અને પ્રમાદવાળે અનાદિ કાળથી રહ્યો છે અને તેથી આત્મજાગૃતિ અર્થે આ બેલનું પ્રકાશવું થયું છે. આ બેલ મુખ્ય છે એમ કહીએ તો જરા પણ છે કે અતિશક્તિવાળું વચન છે એમ નહીં કહી શકાય. જે પુરૂષ સંસારમાં અસંસારગત ભાવથી, અલિપ્તપણથી જળકમળવત્ રહે છે, જે આધિ, વ્યાધિ અને ઉપાધિના પરમ વિષમ નિમિત્તોના ઉદય વખતે આત્મસ્થિરતા અને આત્મશાંતિના મજબુત દુગની એક કાંકરી પણ ખરવા દેતા નથી અને જે ઘર પરિષહ અને ઉપસર્ગ અદ્વિતીય આત્મવીર્યથી વેદી તેમને નિ:સત્વ બનાવી દે છે, તેમનું કહેલું, ઉપદેશેલું, બોધેલું કેવળ સત્ય જ હેય, નિઃશંકતાએ ઉપાદેયરૂપ હોય, આરાધવા ગ્યા હોય એ તે સહેજે સમજી શકાય એ પ્રકાર છે. કેમ કે જે માનવાથી, જે શ્રદ્ધવાથી, જે આચરવાથી તેઓ તેવી ઉચ્ચતમ દશાને પ્રાપ્ત થયા, તે સર્વે મુમુક્ષુએ હદયથી અને પ્રેમથી માનવા ગ્ય, શ્રદ્ધવા ગ્ય અને આચરવા ગ્ય હેય જ. આ બોલના ગર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy