________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૮૧] પ્રમાણિકતાએ કહી બતાવે છે. તેમાં ભૂલ થતી નથી. તે ઉપરાંત મન, વચન અને કાયાની ચેષ્ટાનાં રહસ્ય કેવાં હોય તે પણ આથી સમજી શકાશે; ઉપગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે વળેલું રહે અથવા આત્મા સ્થિર અને સમપરિણામે રહે, જ્યારે વેગ એટલે મન, વચન, કાયા, બહાર પૂર્વકર્મ ભેગવે.
પૂર્વ કમાંનુસાર ત્રણે ગની પ્રવૃત્તિ કર્મોની નિવૃત્તિ માટે થતી હોય છે. કારણ આત્મા તેમાં આત્મભાવે જોડાતે નથી. બીજી રીતે કહીએ તે જ્ઞાની પુરૂષના આત્માને પૂર્ણ શુદ્ધતા પ્રત્યે લઈ જવા માટે જાણે કેમ મન, વચન અને કાયા પરમ મિત્રભાવે એકત્ર થઈને વતી સહાયભૂત થતાં ન હેય; આ એક રહસ્યમય આશ્ચર્યકારક ઘટના છે. અને આ ઘટનાનું રહસ્ય સામાન્ય જીવથી ઓળખાવું અત્યંત અશક્ય છે. સુદષ્ટિવાન મુમુક્ષુ જ તેને પારખી શકે.
અગાઉ આપેલાં પરમકૃપાળુ દેવનાં સ્વાભદશાના વિકાસસૂચક અને રહસ્યને પ્રગટ કરતાં વચને વાંચી, વિચારી, સમજવાથી પણ કલ્યાણ જ છે. મનની અંદર ચાલતી વિચાર શ્રેણી કેઈથી જાણી શકાતી નથી. પરંતુ તે વિચાર વચનરૂપ પરિણામને પામે છે વા તેને જ કેવળ અનુરૂપ દૈહિક ક્રિયા કે આચારરૂપ બને છે, ત્યારે તે શ્રેણિને પ્રકાર વિચારવાન જીવથી સમજાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી જેને અભાવ નીકળી ગયા હોય તેવા જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી, અને તેથી જ જ્ઞાની અને અજ્ઞાનીની પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org