________________
[૭૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિ ઈચ્છા સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિ જોગ વતે છે, તેને પણ સમાધિગ માનીએ છીએ. અત્યારે તે બધુંય ગમે છે અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે (ચિત્તની) નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણ કામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે પણ સ્પષ્ટ છે એ અનુભવ
| (વર્ષ ૨૪, પત્રાંક ૨૪૭) એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી, વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.. પાંચે ઈન્દ્રિયે શૂન્યપણે પ્રવર્તાવારૂપ રહે છે.... ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બેલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છેમન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહેતી નથી એમ જાણીએ છીએ. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ.... જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૨૫૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org